કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો
Breaking news
Morbi Today

મોરબીમાં બાકીમાં માવો આપવાની ના પાડતા બે ભાઈઓ ઉપર બે ઈસમોનો છરી વડે હુમલો


SHARE











મોરબીમાં બાકીમાં માવો આપવાની ના પાડતા બે ભાઈઓ ઉપર બે ઈસમોનો છરી વડે હુમલો

મોરબીના વીસીપરા વિસ્તારમાં દુકાન ધરાવતા વ્યક્તિએ બાકીમાં માવો આપવાની ના પડતા બંને ભાઈઓ ઉપર બે ઈસમો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.જે અંગે ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ મનુભાઈ કાથરોટીયા (40) અને હસમુખભાઈ મનુભાઈ કાથરોટીયા (46) ઉપર તે વિસ્તારના રહેવાસી ગની મીંયાણા અને અભરામ મીંયાણા દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેથી વિનોદભાઈ અને હસમુખભાઈને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બાદમાં તેઓએ બી ડિવિઝન પોલીસ મથકમાં ગની મીંયાણા અને અભરામ મીંયાણા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ઉધારમાં માવો લેવા માટે સામે વાળા દુકાને આવ્યા હતા.જેને ઉધારમાં માવો આપવાની ના પાડતા ઝઘડો કરીને છરી વડે પેટ અને સાથળના ભાગે ઇજા કરી હતી.! હાલ આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુંટુ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં એંજલ સિરામિક પાસેથી બાઈક લઈને જઇ રહેલા માવજીભાઈ ધરમશીભાઈ (70) રહે. ઘુંટુ ને અકસ્માત બનાવમાં ઈજા થતા સિવિલે સારવારમાં ખસેડાયા હતા.

યુવાન સારવારમાં 

મોરબીના સામાકાંઠે આવેલ માળિયા વનાડીયા સોસાયટીમાં રહેતો મનોજ રમેશભાઈ ચાવડા નામનો 28 વર્ષનો યુવાન વાંકાનેર હાઇવે ઉપરના લાલપરના બસ સ્ટેશન પાસે હતો ત્યાં તેને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લીધો હતો.જેથી ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News