ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જય અંબે ગ્રુપ, સેવા ભારતી સહિતની સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ વિતરણ


SHARE













મોરબીમાં જય અંબે ગ્રુપ, સેવા ભારતી સહિતની સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ વિતરણ

મોરબી જિલ્લામા જ્યારે કુદરતી આફત આવે ત્યારે હરહંમેશ સેવાભાવી લોકો અને સંસ્થાઓ મદદ માટે આગળ આવતી હોય છે એ રીતે જ મોરબીની સંસ્કાર ભારતી અને જય અંબે ગ્રુપ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયું હતું.

મોરબીમાં અતિવૃષ્ટિના દિવસોમાં સ્થળાંતરીત કરેલ લોકો પૈકી કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તેની હરહંમેશ ચિંતા કરતા જીગ્નેશભાઈ કૈલા અને તેમના જય અંબે સેવા ગ્રૂપ દ્વારા સ્થળાંતરીત લોકોને આરામથી જમી શકે એવી વ્યવસ્થા કરેલ અને જ્યાં સુધી કુદરતનો આ કહેર બંધ ન થાય ત્યાં સુધી મોરબીમાં સ્થળાંતરિત થયેલ એકપણ વ્યક્તિ ભૂખ્યો ન સુવે તેવા સંકલ્પ સાથે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને મોરબીમાં જય અંબે સેવા ગ્રૂપ દ્વારા રસોડું ચાલુ કરવામાં આવેલ છે.

તેમજ સેવા ભારતી મોરબી(રાષ્ટ્ર્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત)દ્વારા વરસાદી આફત સામે પિડીત પરિવારો માટે અંદાજે ૨૦૦૦ ફૂડ પેકેટ પંચમુખી હનુમાન મંદિર મોરબી-૨ મુકામે તૈયાર કરવામાં આવ્યા હતા.આ સેવા કાર્યમાં અંદાજે ૩૫ સ્વયં સેવક કામે લાગ્યા હતા.જરૂરિયાત મુજબ વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે.વધુ જાણકારી માટે જસ્મીનભાઈ હિંસુ (મો..૯૮૨૫૩ ૨૩૩૩૨) નો સંપર્ક કરી શકાય






Latest News