હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં જય અંબે ગ્રુપ, સેવા ભારતી સહિતની સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ વિતરણ


SHARE

















મોરબીમાં જય અંબે ગ્રુપ, સેવા ભારતી સહિતની સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ વિતરણ

મોરબી જિલ્લામા જ્યારે કુદરતી આફત આવે ત્યારે હરહંમેશ સેવાભાવી લોકો અને સંસ્થાઓ મદદ માટે આગળ આવતી હોય છે એ રીતે જ મોરબીની સંસ્કાર ભારતી અને જય અંબે ગ્રુપ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયું હતું.

મોરબીમાં અતિવૃષ્ટિના દિવસોમાં સ્થળાંતરીત કરેલ લોકો પૈકી કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તેની હરહંમેશ ચિંતા કરતા જીગ્નેશભાઈ કૈલા અને તેમના જય અંબે સેવા ગ્રૂપ દ્વારા સ્થળાંતરીત લોકોને આરામથી જમી શકે એવી વ્યવસ્થા કરેલ અને જ્યાં સુધી કુદરતનો આ કહેર બંધ ન થાય ત્યાં સુધી મોરબીમાં સ્થળાંતરિત થયેલ એકપણ વ્યક્તિ ભૂખ્યો ન સુવે તેવા સંકલ્પ સાથે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને મોરબીમાં જય અંબે સેવા ગ્રૂપ દ્વારા રસોડું ચાલુ કરવામાં આવેલ છે.

તેમજ સેવા ભારતી મોરબી(રાષ્ટ્ર્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત)દ્વારા વરસાદી આફત સામે પિડીત પરિવારો માટે અંદાજે ૨૦૦૦ ફૂડ પેકેટ પંચમુખી હનુમાન મંદિર મોરબી-૨ મુકામે તૈયાર કરવામાં આવ્યા હતા.આ સેવા કાર્યમાં અંદાજે ૩૫ સ્વયં સેવક કામે લાગ્યા હતા.જરૂરિયાત મુજબ વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે.વધુ જાણકારી માટે જસ્મીનભાઈ હિંસુ (મો..૯૮૨૫૩ ૨૩૩૩૨) નો સંપર્ક કરી શકાય




Latest News