મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ત્રણેય યાર્ડ હજુ બંધ રહેશે : તા.2 ને સોમવારથી રાબેતા મુજબ હરાજી ચાલુ થશે


SHARE











મોરબીના ત્રણેય યાર્ડ હજુ બંધ રહેશે : તા.2 ને સોમવારથી રાબેતા મુજબ હરાજી ચાલુ થશે

મોરબી જિલ્લાના ત્રણ માર્કેટ યાર્ડ આવેલ છે.જે ત્રણેય માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમી નિમિતે મિનિ વેકેશન જાહેર કરીને તમામ કામ બંધ કરવામાં આવ્યું હતુ અને તા.30 થી રાબેતા મુજબ યાર્ડમાં હરાજી શરૂ કરવામાં આવશે તેવું જાહેર કરાયું હતું.જે હાલના માહોલના પગલે બંધ રાખવામાં આવે છે અને આગામી તા.2 ને સોમવારથી રાબેતા મુજબ ધમધમશે તેમ જાણવા મળેલ છે.

એટલે કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે તા.24 થી 29 ઓગસ્ટ સુધી મોરબી જીલ્લામાં આવેલા મોરબી, હળવદ અને વાંકાનેર માર્કેટ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી હતી અને તા.30 થી યાર્ડમાં હરાજી સહિતનું કામ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેવું યાર્ડના સતાધીશોએ જાહેર કર્યું હતું.જોકે હાલમાં વરસાદી માહોલના પગલે અને આગાહીના પગલે ખેડુતોની ઝણસ બગડે નહીં અને રસ્તાઓ ખરાબ હોય મુશ્કેલી સર્જાય નહીં તે હેતુથી મોરબી માર્કેટિંગ યાર્ડ તરફથી નિર્ણય જાહેર કરાયો છે કે યાર્ડ હવે તા. 2 ને સોમવારથી શરૂ થશે.જોકે હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા તહેવાર નિમિત્તે રવિવાર સુધી રજા જાહેર કરવામાં આવી હતી અને હવે તા.2 ને સોમવારના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ શરૂ થશે.તે રીતે જ વાંકાનેર યાર્ડમાં પણ તા.29 સુધી રજા જાહેર કરવામાં આવી હતી.પરંતુ હાલ વરસાદી માહોલ અને વરસાદની આગાહીના પગલે વાંકાનેર યાર્ડના સત્તાધીશો દ્વારા શનિવાર સુધી રજા જાહેર કરી દેવાઈ છે અને વાંકાનેર યાર્ડ પણ હવે તા. 2 ને સોમવારના રાબેતા મુજબ શરૂ થશે તેમ યાર્ડના સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

 






Latest News