મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી
Breaking news
Morbi Today

ટ્રક ડ્રાઇવરો લુંટાયા : મોરબી-કચ્છ હાઇવે ઉપર 200 મીટરના ગાળામાં સર્વે કરી ઊંચો સારો રોડ કે ઓવર બ્રિજ બને તો કાયમી પ્રશ્ન નિકાલ થાય


SHARE

















ટ્રક ડ્રાઇવરો લુંટાયા : મોરબી-કચ્છ હાઇવે ઉપર 200 મીટરના ગાળામાં સર્વે કરી ઊંચો સારો રોડ કે ઓવર બ્રિજ બને તો કાયમી પ્રશ્ન નિકાલ થાય

મોરબીમાં જ્યારે પણ ભારે વરસાદ થાય અને વરસાદના પગલે જ્યારે ડેમ ભરાય અને ડેમના પાટિયા ખોલવામાં આવે ત્યારે દર વર્ષે માળિયા પંથકમાં તબાહી થતી હોય છે અને ખાસ કરીને મોરબીનો કચ્છ હાઇવે બંધ થઈ જતો હોય છે.તે રીતે જ રેલ્વે ટ્રેક પણ ત્યાં ધોવાઈ જાય છે.માટે છેલ્લા દસ વર્ષના વરસાદી આંકડા અને અન્ય બાબતોના સર્વે કરીને મોરબી-કચ્છ હાઇવે ઉપર જ્યાં પાણી છોડવાથી હાઇવે ઉપર મચ્છુના પાણી આવી જાય છે તે ૨૦૦ મીટર જેટલા ગાળામાં યોગ્ય સર્વે કરવામાં આવે અને સર્વે કરીને તે જગ્યાએ સારો ઉંચો રોડ કે ઓવર બ્રિજ કે લોખંડનો બ્રિજ બનાવવામાં આવે અને કાયમીના ધોરણે આ પ્રશ્નનો નિકાલ થાય તે જરૂરી છે.

મોરબીમાંથી પસાર થતો નેશનલ હાઈવે છેલ્લા ત્રણ દિવસથી બંધ છે જેથી કરીને ટ્રક લઈને કચ્છ તરફ જઈ રહેલા ડ્રાઈવરો મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓની પાસેથી જમવાના અને પાર્કિંગના પણ ડબલ પૈસા લેવામાં આવતા હોય તેવું ડ્રાઇવરો જણાવી રહ્યા છે.!

મોરબી જિલ્લામાં માળિયા નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે રોડ ઉપર મચ્છુના પાણી ફરી વળ્યા હતા જેથી કરીને બંધ કરવામાં આવ્યો હતો અને મંગળવારે સવારે 10 વાગ્યાથી નેશનલ હાઈવે બંધ હતો જે હાલ ચાલુ કરવામાં આવેલ છે. જેથી કરીને ટ્રક ચાલકો પોતાના વાહનોમાં માલ ભરીને કચ્છ તરફ જવા માટે નીકળ્યા હતા તે ફસાઈ ગયા હતા અને જે જગ્યાએ હોટલો પાસે તેઓના વાહન રાખ્યા હોય તેના પાર્કિંગના ડબલ ભાડા લેવામાં આવેલ તેમજ તેઓની પાસેથી જમવાના પણ ડબલ રૂપિયા લેવામાં આવ્યા હોવાની રાવ હાલમાં ડ્રાઇવરો કરી રહ્યા છે અને ખાસ કરીને સૌથી મોટી વાત કે ચોમાસામાં જ્યારે ભારે વરસાદ પડે ત્યારે આ 200 મીટર જેટલો રસ્તો ખરાબ થવાથી કચ્છનો ટ્રાફિક બંધ થઈ જાય છે. તો આ બાબતએ સરકાર દ્વારા પ્રશ્નનો કાયમી નિકાલ થાય તે દિશામાં વિચારવું જોઈએ અને છેલ્લા દસ વર્ષના વરસાદી પાણીના આંકડાઓ લઈને મચ્છુ નદીના પાણી છોડવાથી હાઇવે ઉપર થતી નુકસાનીનો અંદાજ લગાવીને તે 200 મીટરની હાઈવેની જગ્યામાં નીચેથી પાણીનો નિકાલ થઈ જાય અને ઉપરથી વાહનો ચાલી શકે તેવો લોખંડનો બ્રિજ, ઓવરબ્રિજ કે અન્ય કોઈ વ્યવસ્થા થાય તેમ કરવામાં આવે તો આ પ્રશ્નનો કાયમી નિકાલ થાય તેમ છે.




Latest News