હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આરએસએસ, માટેલ મંદિર, GNRF અને લાયન્સ ક્લબ દ્વારા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું


SHARE











મોરબી જીલ્લામાં આરએસએસ, માટેલ મંદિર, GNRF અને લાયન્સ ક્લબ દ્વારા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું

વાંકાનેર તાલુકાનાં માટેલ મંદિર દ્વારા પૂરગ્રસ્તો માટે કલેટરની સૂચના અનુસાર 2000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. અને આ તમામ ફૂડ પેકેટ કલેક્ટર તંત્રને પહોંચતા કરવામાં આવ્યા હતા તેવું વિશાલભાઈ દુધરેજીયાએ યાદીમા જણાવેલ છે. તો મોરબીના માતૃ શ્રી વિરબાઈ માઁ માનવ સેવા તથા ગૌ સેવા ગ્રુપ દ્વારા અલ્પાબેન કક્કડ અને ગ્રુપના મેમ્બર જયશ્રીબેન વાઘેલા દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લાડવા-ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં કોઈએ કંઈ પણ સહયોગ આપવો હોય તો અલ્પાબેન કક્કડ (90231 04446) નો કોન્ટેક્ટ કરવો તેમ યાદીમાં જણાવાયું છે.

મોરબી તાલુકાના છેવટના અસરગ્રસ્ત ગામ ચીખલી, સુલતાનપુર, માણાબા, ખીરઈ, સદુરકા જેવા અન્ય ગામો જે સંપર્ક વિહોણા છે એવા ગામમાં અને ભારેથી  અતિભારે વરસાદને કારણે હાઇવે બંધ કર્યો હતો ત્યારે હાઇવેમાં ફસાયેલ ટ્રાન્સપોર્ટ ટ્રક શ્રમયોગી માટે મોરબી તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  દ્વારા સેવાકીય કાર્યમાં 800 થી વધારે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આવી જ રીતે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના ખેત મજૂરો અને બાળકોને ગરમાં ગરમ નાસ્તો કરાવવામાં આવ્યો હતો જેમાં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછના પાસ્ટ ફર્સ્ટ વાઈશ ડિસટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા, પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, મંત્રી ટી.સી. ફૂલતરીયા, ખજાનચી મણીલાલ કાવર તેમજ દરેક લાયન્સ મેમ્બરે હાજર રહ્યા હતા

મોરબી જિલ્લાના માળીયા તથા આજુબાજુના ગામડાઓમાં  ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનું કારણ બન્યું છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં ઘેરાયેલા છે. દાવતે ઈસ્લામી ઈન્ડિયાના સબ ડિપાર્ટમેન્ટ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન (GNRF) દ્વારા તરત જ રાહતના પગલાં લેવામાં આવ્યા છે. અને જરૂરતમંદ લોકો સુધી તાત્કાલિક મદદ માટે GNRF ની ટીમે માળીયા તથા આજુબાજુના ગામડાઓમાં પહોચી હતી અને ત્યાં ફસાયેલા લોકોને ભોજન આપવામાં આવ્યું હતું આ કામગીરીમાં GNRFના વોલન્ટિયર્સનો મહત્વનો ફાળો રહ્યો છે.






Latest News