વાંકાનેરના ધારાસભ્યએ પણ તંત્રએ ઊભી કરેલ વ્યવસ્થામાં સહકાર આપ્યો પણ આ બંને આયોજકોએ સહકાર આપેલ નથી: ડીવાયએસપી મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગની સુવિધા કરવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: જિલ્લામાં પથિક સોફટવેરમાં હોટલ માલિકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી મોરબી: ગુંગણ યુવા ગ્રુપ દ્વારા અમરનગર પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ; મોરબી જિલ્લાના સફાઈ કામદારો જોગ મોરબીમાં ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે: મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરો મોરબી જિલ્લા વહિવટીતંત્રનું સંવેદનશીલ પગલું; લોકહિતાર્થે દર અઠવાડીએ જિલ્લાકક્ષાના અધિકારીઓ કરશે ગામડાઓની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વરસાદના લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં વળતર ચુકવવા ભૂપેન્દ્રભાઈ ગોધાણીની રજૂઆત


SHARE











મોરબી જીલ્લામાં વરસાદના લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં વળતર ચુકવવા ભૂપેન્દ્રભાઈ ગોધાણીની રજૂઆત

મોરબી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે ત્યારે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સરકારી વળતર ચુકવવામાં આવે તેવી માગ મોરબી જિલ્લા પંચાયત વિપક્ષના નેતા ભૂપેન્દ્રભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવેલ છે

હાલમાં જિલ્લા પંચાયત વિપક્ષના નેતા ભૂપેન્દ્રભાઈ ગોધાણીએ ડીડીઓને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના દરેક તાલુકામાં 25 ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. જેમાં કપાસ, તલ, બાજરી, જુવાર, મગફળી વગેરે પાક અતિ વરસાદ અને પવનના લીધે નિષ્ફળ ગયા છે. જેથી તેનો સર્વે કરાવીને તાત્કાલિક ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ સીમતળના તમામ રસ્તાઓ અને પુલ તૂટી ગયા છે. તેના લીધે ખેડૂતો ખેતર સુધી જઈ શકતા નથી. જેથી કરીને ખેતીવાડી વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં સર્વે કરીને ખેડૂતોને પાકનું વળતર મળે અને સીમતળના રસ્તાઓ અને પુલ ઝડપથી રિપેર કરાવવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News