મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અસરગ્રસ્ત વિસ્તારોની પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મુલાકાત લીધી


SHARE













માળીયા (મી)ના અસરગ્રસ્ત વિસ્તારોની પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મુલાકાત લીધી

તાજેત્તરમાં અતિવૃષ્ટિને લીધે તેમજ મચ્છુ પૂરના કારણે માળીયા (મી) તાલુકામાં અનેક ગામોને નુકસાન થાય છે. ત્યારે આ દરમ્યાન આજે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ વિરવદરકા ગામથી પ્રવાસ પ્રારંભ કર્યો છે. આ દરમ્યાન તેમને વિરવદરકા ગામે ગ્રામજનોને મળીને સ્વચ્છતા જાળવવા અને ગંદકી દૂર કરવામાં સહાયતા આપવા અનુરોધ કર્યો હતો. તેમજ આરોગ્ય અધિકારીને પીવાનું પાણી ક્લોરીન કરવા માટે જરૂરી પાવડર તેમજ ઉકરડા ઉપર ચૂનો છાંટવા સૂચના આપી હતી. તથા ખોડિયાર ડીપ પર પાણી વહેતુ હોય 5000 વીઘા જેટલી જમીનનું ધોવાણ અટકાવવા ગ્રામજનોની રજુઆત અન્વયે સંબંધીતોને તાકીદ કરી હતી. આ કાર્યમાં તેમની સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સંગઠનના આગેવાનો જોડાયા છે. બ્રિજેશ મેરજા વિરવદરકા થઈને આગળ ફતેપુરા, હરિપર, માળીયા, રાસંગપર અને મેઘપરના પ્રવાસે સંગઠન અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતના હોદ્દેદારો સાથે નીકળ્યા છે.




Latest News