ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અસરગ્રસ્ત વિસ્તારોની પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મુલાકાત લીધી


SHARE













માળીયા (મી)ના અસરગ્રસ્ત વિસ્તારોની પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મુલાકાત લીધી

તાજેત્તરમાં અતિવૃષ્ટિને લીધે તેમજ મચ્છુ પૂરના કારણે માળીયા (મી) તાલુકામાં અનેક ગામોને નુકસાન થાય છે. ત્યારે આ દરમ્યાન આજે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ વિરવદરકા ગામથી પ્રવાસ પ્રારંભ કર્યો છે. આ દરમ્યાન તેમને વિરવદરકા ગામે ગ્રામજનોને મળીને સ્વચ્છતા જાળવવા અને ગંદકી દૂર કરવામાં સહાયતા આપવા અનુરોધ કર્યો હતો. તેમજ આરોગ્ય અધિકારીને પીવાનું પાણી ક્લોરીન કરવા માટે જરૂરી પાવડર તેમજ ઉકરડા ઉપર ચૂનો છાંટવા સૂચના આપી હતી. તથા ખોડિયાર ડીપ પર પાણી વહેતુ હોય 5000 વીઘા જેટલી જમીનનું ધોવાણ અટકાવવા ગ્રામજનોની રજુઆત અન્વયે સંબંધીતોને તાકીદ કરી હતી. આ કાર્યમાં તેમની સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સંગઠનના આગેવાનો જોડાયા છે. બ્રિજેશ મેરજા વિરવદરકા થઈને આગળ ફતેપુરા, હરિપર, માળીયા, રાસંગપર અને મેઘપરના પ્રવાસે સંગઠન અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતના હોદ્દેદારો સાથે નીકળ્યા છે.






Latest News