મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામની આસપાસ 5,000 એકર જમીનમાં ખેડૂતોએ વાવણી કરેલ પાક ભારે વરસાદના પાણીના લીધે નિષ્ફળ


SHARE











માળીયા (મી)ના સરવડ ગામની આસપાસ 5,000 એકર જમીનમાં ખેડૂતોએ વાવણી કરેલ પાક ભારે વરસાદના પાણીના લીધે નિષ્ફળ

માળીયા મીયાણા તાલુકામાં આવતા સરવડ ગામની આસપાસમાં 5000 એકર જમીનમાં ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે છેલ્લા છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોના ખેતરની અંદર એકાદ ફૂટ જેટલું પાણી હાલમાં પણ જોવા મળી રહ્યું છે ત્યારે તેમના ખેતરમાં ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતોને એક રાતી પાઈની કમાણી આ ચોમાસુ પાકમાંથી થાય તેવી કોઈ શક્યતા હાલમાં દેખાતી નથી.

સામાન્ય રીતે ચોમાસુ પાક લેવા માટે તેને ખેડૂતો દ્વારા ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે અને લોહી-પાણી એક કરીને ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાંથી ઉપજ લેવા માટે થઈને મહેનત કરવામાં આવતી હોય છે જોકે ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે અથવા તો વરસાદ ન પડે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને નુકસાની સહન કરવી પડતી હોય છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાં આવતા સરવડ ગામની આસપાસમાં 5000 એકર જમીનમાં ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના જુદા જુદા ચોમાસુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ ગામના ખેડુતોએ જે પાકનુ વાવેતર કર્યુ હતુ તે પાક 40 થી 50 ટકા જેટલા તૈયાર થઈ ગયા હતા અને વધુ વરસાદના લીધે મોટુ નુકશાન થયેલ છે ત્યારે સરવડ ગામના આગેવાન મગનભાઇ પટેલે જણાવેલ છે કે, છેલ્લા છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના ખેતરમાં અડધાથી લઈને એક ફૂટ જેટલા પાણી ભરાઈ રહ્યા હોય ખેડૂતોના પાક ઉપર વરસાદી પાણી ફરી વળવાના કારણે તેમનો પાક નાશ પામ્યો છે.

વધુમાં ગામના ખેડૂતો આગેવાન ધનજીભાઈ સરડવા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે તેઓના ગામની આસપાસમાં સિંચાઈ માટેના પાણીની કોઈ વ્યવસ્થા નથી. આ ગામના ખેડૂતોને નથી તો કોઈ ડેમનું પાણી મળતું કે નથી કેનાલની કોઈ વ્યવસ્થા જેથી આ ગામના ખેડૂતો દ્વારા ચોમાસુ આધારિત ખેતી કરવામાં આવે છે અને તેમાં પણ ચોમાસામાં પડેલા સતત વરસાદના કારણે તેઓનો પાક બળી ગયો છે અને આ વર્ષે ખેડૂતોને તેમના ખેતરમાંથી એક રાતીપાઇની કમાણી થઈ શકે તેમ નથી જેથી કરીને સરકાર દ્વારા સમયસર નુકસાનીનો સર્વે કરાવીને પૂરતા પ્રમાણમાં ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી લાગણીને માંગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.






Latest News