ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પટેલ ગ્રુપ અને મયુર નગરી કા રાજા  ગણેશ મહોત્સવની તૈયારી શરૂ


SHARE













મોરબીમાં પટેલ ગ્રુપ અને મયુર નગરી કા રાજા  ગણેશ મહોત્સવની તૈયારી શરૂ

મોરબીના જુદાજુદા સ્થળ ઉપર ગણેશોત્સવના આયોજન કરવામાં આવે છે ત્યારે મોરબીમાં પટેલ ગ્રુપ અને મયુર નગરી કા રાજાના આયોજકો દ્વારા ગણેશ મહોત્સવની તૈયારી શરૂ કાર દેવામાં આવી છે.

મોરબીમાં રામેશ્વર ફાર્મ, નવજીવન સ્કુલની બાજુમા, રવાપર ધૂનડા રોડ ઉપર પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ગણેશ મહોત્સવનું સ્થાપના તા.૭ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે અને તા ૧૭ ના રોજ વિસર્જન કરવામાં આવશે અને દર્શનનો સમય સાજે ૭:૦૦ થી ૧૧:૦૦ સુધી રાખવામા આવેલ છે. અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને મોરબીની ધર્મપ્રિય જનતાને ગણેશ મહોત્સવમાં દર્શનનો લાભ લેવા પટેલ ગ્રૂપ દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે.

આવી જ રીતે મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર કસ્તુરી હાઇટ્સની બાજુમાં મોરબીના યુવા વૃંદ દ્વારા મયુર નગરી કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ગણેશ મહોત્સવનું સ્થાપના તા.૭ ના રોજ કરવામાં આવશે અને તા ૧૬ ના રોજ વિસર્જન કરવામાં આવશે અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે આયોજકોએ નગરજનોને આમંત્રણ આપેલ છે.






Latest News