મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૩૫૭ ફીડરો અસરગ્રસ્ત થયેલ જેમાંથી ૩૧૭ ફીડરોનો વીજ પુરવઠો પૂર્વવત


SHARE













મોરબી જીલ્લામાં ૩૫૭ ફીડરો અસરગ્રસ્ત થયેલ જેમાંથી ૩૧૭ ફીડરોનો વીજ પુરવઠો પૂર્વવત

તૂટી ગયેલ વીજ પોલ-લાઈનો રીપેર કરીને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરાયો

ગુજરાત રાજ્ય માં છેલ્લા ઘણા દિવસો સુધી વરસાદ હતો. અને કુદરતી આફતને કારણ મોરબી જિલ્લા હેઠળની પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના ગામોમાં જોરદાર પવન તથા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ વીજ પોલ તેમજ વીજ લાઈનો તૂટી પડી હતી જયારે કેટલાક સ્થળોએ વૃક્ષો તૂટી પડવાની સાથે તેની નજીક થી પસાર થતી વીજ લાઈન તેમજ ટ્રાન્સફોર્મર ક્ષતીગ્રસ્થ થતાં વીજ પુરવઠો ખોરવાયેલ હતો

મોરબી જીલ્લામાં કુલ ૩૫૭ ફીડરો અસરગ્રસ્ત થયેલ જેમાંથી ૩૧૭ ફીડરોનો વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવેલ છે . જેમાં ૩ જ્યોતિગ્રામ ફીડરો તથા ૧ ઈન્ડ. ફીડરમાં નુકશાની પામેલ થાંભલા ઉભા કરવાનું કામ પ્રગતિ હેઠળ છે. અને ૩ મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ વીજ પ્રવાહ ખોરવાયાને પગલે વિવિધ વીજ ટીમો દ્વારા સમસ્યાના મૂળ અંગે સત્વરે તપાસ હાથ ધરી વીજ પુરવઠો પુન પ્રસ્થાપિત કરવા માટેની કામગીરી કરવામાં આવેલ હતી. આ ઉપરાંત મોરબી જિલ્લામાં વિવિધ સ્થળો પર તાત્કાલિક વીજ પ્રસ્થાપન માટે પીજીવીસીએલ  નિગમિત કચેરી રાજકોટના  એમ.ડી. દ્વારા રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીની બે ટીમો તેમજ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા ત્રણ  ટીમોની ફાળવણી કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે વીજ પુરવઠો પ્રસ્થાપન કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલ છે. વધુમાં વીજ પ્રસ્થાપન ની કામગરી માટે પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરીની વિભાગીય તેમજ કોન્ટ્રાક્ટરની કુલ ૫૦ થી વધુ ટીમો યુદ્ધના ધોરણે હાલમાં કાર્યરત છે.






Latest News