ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૩૫૭ ફીડરો અસરગ્રસ્ત થયેલ જેમાંથી ૩૧૭ ફીડરોનો વીજ પુરવઠો પૂર્વવત


SHARE







મોરબી જીલ્લામાં ૩૫૭ ફીડરો અસરગ્રસ્ત થયેલ જેમાંથી ૩૧૭ ફીડરોનો વીજ પુરવઠો પૂર્વવત

તૂટી ગયેલ વીજ પોલ-લાઈનો રીપેર કરીને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરાયો

ગુજરાત રાજ્ય માં છેલ્લા ઘણા દિવસો સુધી વરસાદ હતો. અને કુદરતી આફતને કારણ મોરબી જિલ્લા હેઠળની પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના ગામોમાં જોરદાર પવન તથા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ વીજ પોલ તેમજ વીજ લાઈનો તૂટી પડી હતી જયારે કેટલાક સ્થળોએ વૃક્ષો તૂટી પડવાની સાથે તેની નજીક થી પસાર થતી વીજ લાઈન તેમજ ટ્રાન્સફોર્મર ક્ષતીગ્રસ્થ થતાં વીજ પુરવઠો ખોરવાયેલ હતો

મોરબી જીલ્લામાં કુલ ૩૫૭ ફીડરો અસરગ્રસ્ત થયેલ જેમાંથી ૩૧૭ ફીડરોનો વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવેલ છે . જેમાં ૩ જ્યોતિગ્રામ ફીડરો તથા ૧ ઈન્ડ. ફીડરમાં નુકશાની પામેલ થાંભલા ઉભા કરવાનું કામ પ્રગતિ હેઠળ છે. અને ૩ મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ વીજ પ્રવાહ ખોરવાયાને પગલે વિવિધ વીજ ટીમો દ્વારા સમસ્યાના મૂળ અંગે સત્વરે તપાસ હાથ ધરી વીજ પુરવઠો પુન પ્રસ્થાપિત કરવા માટેની કામગીરી કરવામાં આવેલ હતી. આ ઉપરાંત મોરબી જિલ્લામાં વિવિધ સ્થળો પર તાત્કાલિક વીજ પ્રસ્થાપન માટે પીજીવીસીએલ  નિગમિત કચેરી રાજકોટના  એમ.ડી. દ્વારા રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીની બે ટીમો તેમજ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા ત્રણ  ટીમોની ફાળવણી કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે વીજ પુરવઠો પ્રસ્થાપન કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલ છે. વધુમાં વીજ પ્રસ્થાપન ની કામગરી માટે પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરીની વિભાગીય તેમજ કોન્ટ્રાક્ટરની કુલ ૫૦ થી વધુ ટીમો યુદ્ધના ધોરણે હાલમાં કાર્યરત છે.






Latest News