ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૩૫૭ ફીડરો અસરગ્રસ્ત થયેલ જેમાંથી ૩૧૭ ફીડરોનો વીજ પુરવઠો પૂર્વવત


SHARE













મોરબી જીલ્લામાં ૩૫૭ ફીડરો અસરગ્રસ્ત થયેલ જેમાંથી ૩૧૭ ફીડરોનો વીજ પુરવઠો પૂર્વવત

તૂટી ગયેલ વીજ પોલ-લાઈનો રીપેર કરીને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરાયો

ગુજરાત રાજ્ય માં છેલ્લા ઘણા દિવસો સુધી વરસાદ હતો. અને કુદરતી આફતને કારણ મોરબી જિલ્લા હેઠળની પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના ગામોમાં જોરદાર પવન તથા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ વીજ પોલ તેમજ વીજ લાઈનો તૂટી પડી હતી જયારે કેટલાક સ્થળોએ વૃક્ષો તૂટી પડવાની સાથે તેની નજીક થી પસાર થતી વીજ લાઈન તેમજ ટ્રાન્સફોર્મર ક્ષતીગ્રસ્થ થતાં વીજ પુરવઠો ખોરવાયેલ હતો

મોરબી જીલ્લામાં કુલ ૩૫૭ ફીડરો અસરગ્રસ્ત થયેલ જેમાંથી ૩૧૭ ફીડરોનો વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવેલ છે . જેમાં ૩ જ્યોતિગ્રામ ફીડરો તથા ૧ ઈન્ડ. ફીડરમાં નુકશાની પામેલ થાંભલા ઉભા કરવાનું કામ પ્રગતિ હેઠળ છે. અને ૩ મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ વીજ પ્રવાહ ખોરવાયાને પગલે વિવિધ વીજ ટીમો દ્વારા સમસ્યાના મૂળ અંગે સત્વરે તપાસ હાથ ધરી વીજ પુરવઠો પુન પ્રસ્થાપિત કરવા માટેની કામગીરી કરવામાં આવેલ હતી. આ ઉપરાંત મોરબી જિલ્લામાં વિવિધ સ્થળો પર તાત્કાલિક વીજ પ્રસ્થાપન માટે પીજીવીસીએલ  નિગમિત કચેરી રાજકોટના  એમ.ડી. દ્વારા રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીની બે ટીમો તેમજ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા ત્રણ  ટીમોની ફાળવણી કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે વીજ પુરવઠો પ્રસ્થાપન કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલ છે. વધુમાં વીજ પ્રસ્થાપન ની કામગરી માટે પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરીની વિભાગીય તેમજ કોન્ટ્રાક્ટરની કુલ ૫૦ થી વધુ ટીમો યુદ્ધના ધોરણે હાલમાં કાર્યરત છે.






Latest News