ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક મચ્છુના પાણીના લીધે તૂટી ગયેલ રોડ ઉપર ડામર પાથરી ટનાટન કરાયો


SHARE













માળીયા (મી) નજીક મચ્છુના પાણીના લીધે તૂટી ગયેલ રોડ ઉપર ડામર પાથરી ટનાટન કરાયો

મોરબી જિલ્લામાં વરસાદમાં ધોવાયેલા માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે માળીયાના ખીરઈ પાસે મોરબી કચ્છ નેશનલ હાઈવે વરસાદી પાણીના પ્રવાહથી ધોવાયો હતો જે હાલ મહદ્અંશે રીપેર કરાવી દેવાયો છે.

મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓને વ્યાપક નુકસાન થયું હતું, મચ્છુ નદીના પગલે મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર બંધ કરી દેવામાં આવેલો વાહન વ્યવહાર વરસાદ બંધ થતાં તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવાયો હતો. વરસાદ બંધ થતાં જ મોરબી-કચ્છ નેશનલ હાઈવે રિપેર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. રોડ ધોવાઈ જતા ત્યાં ઉખડી ગયેલા ડામરની હટાવી રોડ સમતળ કરી ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે, લગભગ સ્થળોએ સમારકામ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારની સૂચના અંતર્ગત સમગ્ર રાજ્યમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યાર મોરબી જિલ્લામાં પણ વહીવટી તંત્ર ત્વરિત પગલે કામગીરીમાં જોડાઈ ગયું હતું, જેના પગલે હાલ લગભગ કામગીરી પૂર્ણતાના આરે છે.






Latest News