મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ફેમિલી કોર્ટમાં સજા પામેલ ફરાર આરોપી પકડાયો


SHARE











મોરબીમાં ફેમિલી કોર્ટમાં સજા પામેલ ફરાર આરોપી પકડાયો

મોરબી ફેમિલી કોર્ટમાં સજા પામેલ આરોપી છેલ્લા કેટલાક સમયથી ફરાર હોય જિલ્લા પોલીસવડા અને ડીવાયએસપી દ્વારા સૂચના કરવામાં આવેલી હતી.જેને આધારે બી ડિવિઝન પોલીસ મથકના વીસાપરા બીટના સ્ટાફ દ્વારા આરોપીને પકડીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

આ બાબતે વધુમાં મળતી માહીતી મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા સજા પામેલ આરોપીઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવી સુચના કરેલ હોય નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા અને બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવાના માર્ગદર્શના હેઠળ સ્ટાફે આરોપીને પકડી પાડયો હતો. મોરબીના ફેમીલી કોર્ટ પ્રીન્સી.જજ ના વોરંટ પ્રાસેસ નંબર-૧૧૬૧/૨૪ તા.૨૫-૭-૨૪ ના આધારે આરોપી અશ્વીનભાઇ જીવરાજભાઇ રેસીયા રહે.વીજયનગર વીશીપરા મોરબી વાળાને કુલ ૩૬૦ દીવસની સજા નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ જોકે આરોપી પોતાની અટકાયતથી બચવા નાસતો ફરતો હોય વીશીપરા બીટ ઇન્ચાર્જ એએસઆઇ પ્રફુલ્લકુમાર જેઠાભાઇ પરમારને પીઆઇ તરફેથી આ આરોપી સત્વરે પકડી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને જે આરોપી વીશીપરા વિજયનગર ખાતેથી તા.૩૦-૮ ના રોજ મળી આવતા અટકાયતમાં લઇને નામદાર કોર્ટમાં યોગ્ય કાર્યવાહી માટે રજુ કરવા તજવીજ કરવામાં આવી હતી.આ કામગીરી સ્ટાફના એએસઆઇ પ્રફુલ્લકુમાર પરમાર, મુકેશભાઇ મહેશભાઇ સોલંકી, અજયસિંહ તીખુભા રાણા અને દશરથસિંહ દુલુભા મસાણીએ કરી હતી. 

પતિ-સાસુએ માર મારતા પરણીતા સારવારમાં

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ ગાંધીનગર (અમદાવાદ) ખાતે રહેતા અર્ચીતાબેન નમનભાઈ વાણંદ (ઉમર ૨૫) નામની મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની વધુમાં મળતી માહિતી પ્રમાણે તેમના સાસુ તથા પતિ દ્વારા તેઓને માર મારવામાં આવ્યો હતો અને રાત્રિ દરમિયાન મોરબી એસટી બસ સ્ટેશન ખાતે તેઓને ઉતારી દેવામાં આવ્યા હતા અને તેમના સાસુ-પતિ જતા રહ્યા હતા.હાલ ઇજા પામેલ અર્ચિતાબેન નમનભાઈના મારામારી કેસ બાબતે સ્ટાફના વિપુલ પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

નસાની હાલતમાં માર મારતા સારવારમાં

મોરબીના લીલાપર ગામે રહેતા વિનોદભાઈ હીરાભાઈ ટીડાણી નામના ૩૫ વર્ષના યુવાનને મારામારીમાં ઈજા પામેલ હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેણે ડોક્ટર અને પોલીસને જણાવ્યા પ્રમાણે ધરમપુર ગામે દારૂ પીવડાવીને તેને માર મારવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા આ બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ રૂબીબેન વેરસિંગભાઈ પરમાર (રહે.ઝીંઝુડા) નામની ૪૦ વર્ષની મહિલાને ઇજાઓ થતા તેણીને પણ સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવી હતી.જે સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના જીલુભાઇ ગોગરા દ્વારા તપાસ કરવામાં આવી હતી.






Latest News