રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદ ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ-UDID કાર્ડ માટે કેમ્પ યોજાયો


SHARE









હળવદ ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ-UDID કાર્ડ માટે કેમ્પ યોજાયો

મોરબીના હળવદ ખાતે “માન.મુખ્યમંત્રીના ૧૦૦ દિવસ સંકલ્પ” અન્વયે હળવદ તાલુકાનાં દિવ્યાંગજનો માટે સિવિલ હોસ્પિટલ તેમજ સમાજ સુરક્ષા કચેરી મોરબીના ઉપક્રમે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટરોની ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી કરી સર્ટિફિકેટ તેમજ UDID કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ૧૭૯ દિવ્યાંગ લાભાર્થીઓએ ભાગ લીધેલ હતો.આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપલીયા, ભરતભાઈ સોલંકી, સિવિલ હોસ્પિટલ મોરબીના ઋષાંગ વૈષ્ણાની, આંખના સર્જન ડૉ. પનારા, માનસિક રોગના ડૉ.અમિત દિવેચા, તેમજ હળવદ તાલુકા ભાજપ મહામંત્રીશ્રી તપનભાઈ દવે, સંસ્થાના મંત્રી જિતેન્દ્રભાઈ જોશી, તેમજ સમગ્ર શિક્ષા અભિયાન મોરબીના તમામ સ્ટાફ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ તેમજ દિવ્ય દ્રષ્ટિ ફાઉન્ડેશન સાપકડા એ સહયોગ કર્યો હતો.






Latest News