બોટાદના બરવાળામાંથી ગુમ થયેલી સગીરા મોરબીથી મળી વાંકાનેરના રાણેકપર ગામે ખેતરમાં માલઢોર ચરાવીને ભેલાણ કર્યા બાદ યુવાન સહિતનાઓની ઉપર ધારિયા, પાઇપ તથા ધોકા વડે હુમલો: 17 સામે ફરિયાદ પહેલા ડિટેકશન પછી ફરિયાદ !: વાંકાનેર તાલુકામાંથી થયેલ બે બાઇકની ચોરીમાં હવે ગુનો નોંધાયો હળવદના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટમાંથી 4 લાખના કોપર વાયરની ચોરી મોરબીમાં આઇસર પાછળ કાર અથડાતાં મૃત્યુ પામેલ મહિલાના પતિ સામે ગુનો નોંધાયો મોરબીના યુવાને વ્હોટ્સએપમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાની સાથે મોબાઈલ હેક: બેંકમાંથી 3.33 લાખ ઉપાડી ગયા મોરબીના આમરણ નજીક પોલીસે પીછો કરતાં અકસ્માત થયેલ કારમાંથી દારૂની 186 બોટલ નીકળી!: કાર ચાલક ફરાર ડીઝલ ચોરીનો પર્દાફાશ: માળીયા (મી)ના સોનગઢ ગામે ટેન્કરમાંથી કાઢવામાં આવેલ 1800 લિટર ડીઝલ સાથે બે પકડાયા, 47.14 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE



























મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબી જીલ્લા ભારે વરસાદ હતો જેથી કરીને ખેડૂતો, મીઠાના ઉત્પાદકોએ સહિતનાઓને પરાવાર નુકશાન છે ત્યારે આ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જિલ્લા કોંગ્રેસના પ્રમુખે માંગ કરી છે. અને મુખ્યમંત્રીને તેના માટેની લેખિતમાં રજૂઆત પણ કરેલ છે. 

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં આ વર્ષે ચોમાસાની સિઝન દરમ્યાન અતિવૃષ્ટિ અને ડેમોમાંથી અચાનક પાણી છોડવાના કારણે મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના પાક તથા મીઠાના ઉત્પાદનને ૧૦૦ % નુકશાની થયેલ છે. તેમજ ખેતરો તથા મીઠાના અગરો ધોવાય ગયેલ છે. મોરબી જીલ્લામાં વધુ વરસાદના કારણે ચોમાસાની સિઝનમાં હવે ફરીથી વાવેતર કરી ચોમાસાની સિઝનનો પાક પણ લઈ શકાય તેમ નથી. જેથી ભારત સરકારના ગૃહ મંત્રાલય આપતી વયવસ્થાપન વિભાગના પત્ર ક્રમાંક F-NO-33-03/2020-NDM-1 (Vol-II), તા.10/10/2022 ના પરિપત્રને ધ્યાને લઈ મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તે જરૂરી છે.












Latest News