મોરબી: કલેકટર કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂક કરાશે મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ 20.95 લાખના ચેક રીટર્ન કેસમાં બમણી રકમનો દંડ: એક વર્ષની સજા મોરબીના મકનસર ગામે સરકારી જમીન ઉપર થયેલા 10 ગેરકાયદે બાંધકામો તોડી પડ્યા મોરબી ઇન્ડીયન લાયોનેસ ક્લબના નવા પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયા અમદાવાદના લુંટના ગુનામાં નાસતો ફરતો આરોપી માળીયા (મી)માંથી પાંચ ચોરાઉ બાઇક સાથે પકડાયો મોરબીના બેલા પાસે અકસ્માતમાં બે યુવકને ઈજા મોરબી જિલ્લામાં રેશનકાર્ડ ઘારકોને મે અને જૂન મહિનાનો અનાજનો જથ્થો ચાલુ મહિનામાં જ આપી દેવામાં આવશે વાંકાનેર ખાતે ૨૦ મે ના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE



















મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબી જીલ્લા ભારે વરસાદ હતો જેથી કરીને ખેડૂતો, મીઠાના ઉત્પાદકોએ સહિતનાઓને પરાવાર નુકશાન છે ત્યારે આ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જિલ્લા કોંગ્રેસના પ્રમુખે માંગ કરી છે. અને મુખ્યમંત્રીને તેના માટેની લેખિતમાં રજૂઆત પણ કરેલ છે. 

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં આ વર્ષે ચોમાસાની સિઝન દરમ્યાન અતિવૃષ્ટિ અને ડેમોમાંથી અચાનક પાણી છોડવાના કારણે મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના પાક તથા મીઠાના ઉત્પાદનને ૧૦૦ % નુકશાની થયેલ છે. તેમજ ખેતરો તથા મીઠાના અગરો ધોવાય ગયેલ છે. મોરબી જીલ્લામાં વધુ વરસાદના કારણે ચોમાસાની સિઝનમાં હવે ફરીથી વાવેતર કરી ચોમાસાની સિઝનનો પાક પણ લઈ શકાય તેમ નથી. જેથી ભારત સરકારના ગૃહ મંત્રાલય આપતી વયવસ્થાપન વિભાગના પત્ર ક્રમાંક F-NO-33-03/2020-NDM-1 (Vol-II), તા.10/10/2022 ના પરિપત્રને ધ્યાને લઈ મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તે જરૂરી છે.






Latest News