મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રભાવિત થનાર શિક્ષકોની સેવા–સુરક્ષા માટે પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરવા આવેદન અપાયું મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજિત સર્વપિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહની ભવ્ય પોથીયાત્રા યોજાઇ વિકસિત ભારતના બણગાં: મોરબી નજીકના ઘુટુ ગામે આવેલ રામકો સોસાયટીમાં 15 વર્ષથી રહેતા લોકોની નથી મળતી પ્રાથમિક સુવિધા ! મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE













મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબી જીલ્લા ભારે વરસાદ હતો જેથી કરીને ખેડૂતો, મીઠાના ઉત્પાદકોએ સહિતનાઓને પરાવાર નુકશાન છે ત્યારે આ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જિલ્લા કોંગ્રેસના પ્રમુખે માંગ કરી છે. અને મુખ્યમંત્રીને તેના માટેની લેખિતમાં રજૂઆત પણ કરેલ છે. 

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં આ વર્ષે ચોમાસાની સિઝન દરમ્યાન અતિવૃષ્ટિ અને ડેમોમાંથી અચાનક પાણી છોડવાના કારણે મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના પાક તથા મીઠાના ઉત્પાદનને ૧૦૦ % નુકશાની થયેલ છે. તેમજ ખેતરો તથા મીઠાના અગરો ધોવાય ગયેલ છે. મોરબી જીલ્લામાં વધુ વરસાદના કારણે ચોમાસાની સિઝનમાં હવે ફરીથી વાવેતર કરી ચોમાસાની સિઝનનો પાક પણ લઈ શકાય તેમ નથી. જેથી ભારત સરકારના ગૃહ મંત્રાલય આપતી વયવસ્થાપન વિભાગના પત્ર ક્રમાંક F-NO-33-03/2020-NDM-1 (Vol-II), તા.10/10/2022 ના પરિપત્રને ધ્યાને લઈ મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તે જરૂરી છે.




Latest News