ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે નૂતનવર્ષ નિમિતે યોજાશે અન્નકુટ દર્શન


SHARE













વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે નૂતનવર્ષ નિમિતે યોજાશે અન્નકુટ દર્શન

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષના પ્રારંભે પરંપરાગત યોજાતા અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, હરિભકતો દ્વારા તૈયારીનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે.
કોરોના કાળ દરમ્યાન લાંબા સમય સુધી ધાર્મિક સ્થળો પણ સુમસામ રહ્યા હતાં, તમામ ધાર્મિક આયોજનો પણ બંધ રહ્યા હતાં, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા પણ છૂટછાટ આપવામાં આવતાં, લાંબા સમય બાદ ફરી એકવાર વાંકાનેરનું Baps સ્વામિનારાયણ મંદિર રોશનીથી ઝળહળી ઉઠયું છે, મંદિરને રંગબીરંગી આકર્ષક લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યું છે, તા. 5 ને શુક્રવારે નૂતનવર્ષના પ્રારંભે ભવ્ય અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, મોરબી ક્ષેત્રનાં સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી, મંગલપ્રકાશ સ્વામીની ઉપસ્થિતમાં ગાઈડ લાઈન મુજબ અન્નકુટ દર્શન યોજાશે, લાંબા સમય બાદ ધાર્મિક આયોજન શરૂ થતાં વાંકાનેર સત્સંગ મંડળમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સમગ્ર આયોજન સફળ બનાવવા વાંકાનેર સત્સંગ મંડળનાં પાયાનાં અગ્રણી ઉર્મિલાબેન પ્રવીણભાઈ આશર, જયેશભાઈ રામાણી, હંશાબેન રામાણી, મહેંદ્રભાઈ ત્રિવેદી, સુમિતભાઈ ત્રિવેદી સહિતનાં અગ્રણીઓ, હરિભકતો અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News