ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીથી જામનગર જવા નીકળેલ યુવાન જુના બસ સ્ટેશનથી ગુમ


SHARE













મોરબીથી જામનગર જવા નીકળેલ યુવાન જુના બસ સ્ટેશનથી ગુમ

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર સિનેમાની ધાર વિસ્તારમાં રહેતો યુવાન મોરબીથી જામનગર જાવ છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં શહેરના જુના બસ સ્ટેશન ખાતેથી ગુમ થઈ ગયેલ હોય હાલ યુવાનના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા પોલીસે ગુમ નોંધ દાખલ કરીને ગુમ થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે વાકાનેર હાઇવે ઉપર આવેલ કુબેરની ધાર વિસ્તારમાં રહેતા પુનમબેન મુકેશભાઈ અદગામા કોળી (ઉમર 42) નામની મહિલાએ પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેર કર્યું હતું કે, તેમના પતિ મુકેશભાઈ છગનભાઈ અદગામા કોળી (48) રહે.કુબેરની ધાર પાસે સામાકાંઠે મોરબી-2 વાળા ગત તા.4-9 ના સવારે દસેક વાગ્યાના અરસામાં ઘરેથી જામનગર જાવ છું તેમ કહીને નીકળ્યા હતા અને જુના બસ સ્ટેશનને આવ્યા હતા.અહીંથી તેઓનો કોઇ અતોપતો મળ્યો ન હતો અને છેલ્લા પાંચ દિવસથી તેઓ ગુમ હોય તપાસ કરવા છતાં પતો ન લાગતાં અંતે પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને હાલ એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા ગુમ થયેલા મુકેશભાઈ અદગામાની ગુમ નોંધ દાખલ કરીને તેમને શોધવા આગળના ચક્રો ગતિમાન કર્યા છે.

આધેડ સારવારમાં

ટંકારાના નવા પ્લોટ વિસ્તારમાં રહેતા જાવેદભાઈ ઈબ્રાહીમભાઇ મલેક નામના 50 વર્ષના આધેડ કોઈ અજાણી દવા અજાણી માત્રામાં પી જતા તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં સારવાર બાદ પોલીસમાં જાણ કરાતા પ્રથમ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.

જનાવર કરડી જતા સારવારમાં

મોરબી નજીકના શનાળા ગામ પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ રામદાસભાઈ કેવટ નામના 34 વર્ષીય યુવાનને કોઈ જનાવર કરડી જતા સારવાર માટે સીવીલે લાવવામાં આવ્યો હતો.






Latest News