મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં લોકોની સેવામાં કોઇ કચાસ રાખવામાં નહીં આવેઃ બ્રિજેશભાઇ મેરજા


SHARE











મોરબીમાં લોકોની સેવામાં કોઇ કચાસ રાખવામાં નહીં આવેઃ બ્રિજેશભાઇ મેરજા

મોરબીમાં જનસુવિધા કેન્દ્ર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ અને સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સામૂહિક  તેમજ વ્યવસાયલક્ષી કામો થઇ રહ્યા છે. જેના અનુસંધાને આજે વ્યક્તિલક્ષી કામો માટે સેવાસેતુ કાર્યક્રમો થઇ રહ્યા છે. મોરબીમાં નગરપાલિકામાં વિકાસલક્ષી કામો માટે ૫૦ કરોડથી વધારેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. તેમજ સાંઇબાગમાં પણ ૬૦ લાખ રૂપિયાના ખર્ચે નમૂનાદાર સંકુલ બનશે. લોકોની સેવામાં કોઇ કચાસ રાખવામાં નહીં આવે. તેમજ ક્લીનીકનો સમય પણ સાંજના ૫.૩૦ વાગ્યાથી રાત્રીના ૯.૩૦ કલાક રાખવામાં આવશે જેથી લોકોને રોજગારીનો પ્રશ્ન ન રહે.

પ્રાસંગિક પ્રવચનમાં નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકામાં ઘણા બધા કામો થઇ રહ્યા છે અને મચ્છુ રિવરફ્રન્ટ બનાવવાનું પણ આયોજન થઇ રહ્યું છે. જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ જણાવ્યું હતું કે, આઝાદી પછી મોરબી અને માળીયાને સરકારમાં પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે આ વિસ્તારના કામોમાં ખૂબ જ ગતિ મળી રહી છે. સ્વાગત પ્રવચન ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ રીબીન કાપીને જનસુવિધા કેન્દ્ર અને દીનદયાળ ક્લીનીકનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી જેસંગભાઇ હુંબલ, પાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઇ દેસાઇ, અગ્રણી જિગ્નેશભાઇ કૈલા, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મામલતદાર જી.એચ. રૂપાપરા, નગરપાલિકાના કાઉન્સીલરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News