ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્કમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સત્કાર સમારોહ યોજાયો


SHARE













મોરબીના આલાપ પાર્કમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સત્કાર સમારોહ યોજાયો

મોરબીની આલાપ પાર્ક, ખોડીયારનગર,પટેલ નગર સોસાયટી દ્વારા મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાનું અહીંના સ્થાનિક રહીશો દ્વારા સ્વાગત સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોએ ઢોલ નગારાના નાદ સાથે વાજતે ગાજતે ફટાકડાની જોરદાર આતશબાજી સાથે મંત્રીનું સ્વાગત કરી નાની દીકરીઓએ સામૈયા સાથે મંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.

આ કાર્યક્રમમાં મંત્ર બ્રિજેશભાઈ મેરજાનું મોમેન્ટો, સાલ, પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું હતુ. આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, આ મારૂ સન્માન નથી પરંતુ આ આપ સૌ નગરજનોનું સન્માન છે. હું તમને ખાતરી આપું છું કે હું ક્યારેય એવું કામ નહીં કરુ કે જેનાથી તમને લજ્જિત થવું પડે. મોરબીને અનેરી ઊંચાઇ પર લઇ જવામાં સતત પ્રયત્નશીલ રહીશ. મંત્રી મંડળમાં મળેલ જવાબદારીના યશના ભાગીદાર આપ સૌ છો જેનો હું કાયમ માટે ઋણી રહીશ આ કાર્યક્રમમાં પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડીયાએ મોરબીના ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળવાથી હવે મોરબી જિલ્લામાં વિકાસકામોને વધુ વેગ મળશે તેવો સુર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્થાનિક કોર્પોરેટર નિમિષાબેન ભીમાણી, અગ્રણી જિગ્નેશભાઇ કૈલાએ પણ પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુરેશભાઇ દેસાઇ, કે.કે. પરમાર, જયરાજસિંહ જાડેજા, મુકેશભાઇ ઉધરેજા, કિશોરભાઇ ભાલોડીયા, વિસ્તારના તમામ કોર્પોરેટર, વિવિધ સોસાયટીના સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આલાપ યુવા ગ્રૂપ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News