આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું વિસર્જન: ગણપતિ મહારાજની  ભાવભીની વિદાય


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું વિસર્જન: ગણપતિ મહારાજની  ભાવભીની વિદાય

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી-માળિયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનો અને અધિકારીઓએ ત્યાં આરતીનો લાભ લીધેલ હતી અને ગણેશ મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી તેમજ રાત્રે ૯ થી 11:૩૦ ચિત્રા ધૂન મંડળ ના સહયોગથી ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સત્યનારાયણ કથા, ૫૬ ભોગ અન્નકૂટ, ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી. ત્યારે ટ્રસ્ટી મનસુખભાઈ આદ્રોજા, કલેક્ટર કિરણ ઝવેરી સહિતના હાજર રહ્યા હતા અને પાચમાં દિવસે સવારે આરતી બાદ બપોરે કોલેજના વિધાર્થી અને પ્રાધ્યાપકો દ્વારા ઢોલ નગારા સાથે ગણપતિ બાપાને વિદાઇ આપી હતી. કાર્યને સફળ બનાવવા માટે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ  આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના નેજા હેઠળ કોલેજના ટીવાય બીકોમ અને ટીવાય બીબીએના વિધાર્થીઓ તેમજ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News