ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના અજય લોરિયાની ટીમે શહીદ જવાનના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કર્યા


SHARE













મોરબીના અજય લોરિયાની ટીમે શહીદ જવાનના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કર્યા

થોડા સમય પહેલા જમ્મુ - કસ્મીરમાં જુદા જુદા આતંકી હુમલા કરવાં આવેલ જેમાં પંજાબના ૩ઉત્તરપ્રદેશના ૧કેરળના ૧ અને ગુજરાતના ખેડા જિલ્લાનો એક જવાન શહીદ થયેલ હતા ત્યારે આ છ શહીદ જવાનોએ દેશની સેવા કરતા શહીદ થયેલ હોય તેઓના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે દેશભક્ત અને સેવાના ભેખધારી યુવાન, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા અને તેની ટીમ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે અને બાપાસિતારામ ચોકમાં ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને બે દિવસમાં અજય લોરીયા અને તેની ટીમે ૧૧.૨૬ લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા.

જેમાંથી હાલમાં અજયભાઈ લોરીયા અને તેની ટિમ દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનાં વણઝારીયા ગામના રહેવાસી શહિદ હરિશસિંહ પરમારના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કરવામાં આવ્યા છે ત્યારે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત, ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર સહિતના હાજર રહયા હતા.વધુમાં સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના મેન્ટોર અજયભાઇ લોરીયાએ જણાવ્યુ હતું કે, શહિદ થયેલા હરિશસિંહની તેઓ શહિદ થયા તેના એક સપ્તાહ પહેલા જ સગાઈ થઇ હતી અને તેઓ આંતકી હુમલામાં શહિદ થયા હતા.






Latest News