મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના અજય લોરિયાની ટીમે શહીદ જવાનના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કર્યા


SHARE











મોરબીના અજય લોરિયાની ટીમે શહીદ જવાનના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કર્યા

થોડા સમય પહેલા જમ્મુ - કસ્મીરમાં જુદા જુદા આતંકી હુમલા કરવાં આવેલ જેમાં પંજાબના ૩ઉત્તરપ્રદેશના ૧કેરળના ૧ અને ગુજરાતના ખેડા જિલ્લાનો એક જવાન શહીદ થયેલ હતા ત્યારે આ છ શહીદ જવાનોએ દેશની સેવા કરતા શહીદ થયેલ હોય તેઓના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે દેશભક્ત અને સેવાના ભેખધારી યુવાન, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા અને તેની ટીમ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે અને બાપાસિતારામ ચોકમાં ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને બે દિવસમાં અજય લોરીયા અને તેની ટીમે ૧૧.૨૬ લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા.

જેમાંથી હાલમાં અજયભાઈ લોરીયા અને તેની ટિમ દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનાં વણઝારીયા ગામના રહેવાસી શહિદ હરિશસિંહ પરમારના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કરવામાં આવ્યા છે ત્યારે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત, ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર સહિતના હાજર રહયા હતા.વધુમાં સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના મેન્ટોર અજયભાઇ લોરીયાએ જણાવ્યુ હતું કે, શહિદ થયેલા હરિશસિંહની તેઓ શહિદ થયા તેના એક સપ્તાહ પહેલા જ સગાઈ થઇ હતી અને તેઓ આંતકી હુમલામાં શહિદ થયા હતા.






Latest News