મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે બાલ કટિંગ કરાવીને કેનાલમાં ન્હાવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











મોરબીના ઊંચી માંડલ પાસે બાલ કટિંગ કરાવીને કેનાલમાં ન્હાવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન બાલ કટીંગ કરાવીને નર્મદાની કેનાલમાં ન્હાવા માટે પડ્યો હતો ત્યારે કેનાલના પાણીમાં ડૂબી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઊંચી માંડલ ગામ પાસે આવેલ નેહાની સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતો અને મજૂરીકામ કરતો અમિત વિભીષણ નાયક નામનો યુવાન લેબર ક્વાર્ટરમાંથી તેના પત્ની મધુસ્મિતાદેવીને બજારમાં બાલ કટીંગ કરવા માટે જાઉં છું તેવું કહીને નીકળ્યો હતો અને બાલ કટીંગ કરાવ્યા બાદ તે નર્મદાની કેનાલમાં ન્હાવા માટે થઈને ગયો હતો દરમિયાન અકસ્માતે તે કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મુકેશભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્મત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે






Latest News