શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું મોરબીના નીરૂનગર નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા પામેલા યુવાનુનું મોત મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં 3 મકાન માલિક સામે કાર્યવાહી હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે બાલ કટિંગ કરાવીને કેનાલમાં ન્હાવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











મોરબીના ઊંચી માંડલ પાસે બાલ કટિંગ કરાવીને કેનાલમાં ન્હાવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન બાલ કટીંગ કરાવીને નર્મદાની કેનાલમાં ન્હાવા માટે પડ્યો હતો ત્યારે કેનાલના પાણીમાં ડૂબી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઊંચી માંડલ ગામ પાસે આવેલ નેહાની સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતો અને મજૂરીકામ કરતો અમિત વિભીષણ નાયક નામનો યુવાન લેબર ક્વાર્ટરમાંથી તેના પત્ની મધુસ્મિતાદેવીને બજારમાં બાલ કટીંગ કરવા માટે જાઉં છું તેવું કહીને નીકળ્યો હતો અને બાલ કટીંગ કરાવ્યા બાદ તે નર્મદાની કેનાલમાં ન્હાવા માટે થઈને ગયો હતો દરમિયાન અકસ્માતે તે કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મુકેશભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્મત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે






Latest News