આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર ગામના મહિલા સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોપાયો


SHARE













વાંકાનેરના હસનપર ગામના મહિલા સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોપાયો

વાંકાનેર તાલુકાની હસનપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ખાસ સભામાં મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને તેઓનો ચાર્જ હસનપર ગ્રામ પંચાયતના ઉપસરપંચને આપવામાં આવ્યો હોવાનું ટીડીઓ પાસેથી જાણવા મળેલ છે.

વાંકાનેર તાલુકાના હસનપર ગામના મહિલા સરપંચ કાજલબેન અજયભાઈ પરસોંડા વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 56 અન્વયે અવિશ્વાસની દરખાસ્ત હસનપર ગ્રામ પંચાયતમાં તા. 10/9/24 ની ખાસ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવી હતી અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 56 (2) ની જોગવાઈ મુજબ પ્રસ્તાવ પસાર થયાના ત્રણ દિવસ પછીથી સરપંચની મુદત પૂર્ણ થઈ જાય છે. જેથી કરીને વાંકાનેરના ટીડીઓ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 55 (1) હેઠળ હસનપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ રમેશભાઈ ભાવાભાઈ સારલાને તા. 14/9/2024 થી જ્યાં સુધી સરપંચની જગ્યા ભરાઈ નહીં ત્યાં સુધી સરપંચના કાર્યો અને ફરજ બજાવવા માટે થઈને આદેશ કરવામાં આવેલ છે






Latest News