ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ


SHARE













મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ

રાજકોટ ગેમઝોનમાં બનેલી ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી ત્યારે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ દ્વારા પત્ર લખીને બાલમંદિરથી શાળા-કોલેજ સુધીના જે કોઈપણ શૈક્ષણિક સંકુલોમાં  આ પ્રકારના પ્લાસ્ટિક ડોમ હોય તેને દૂર કરવા માંગ કરાયેલ છે.મોરબી શહેરમાં નર્સરી, પ્લે-હાઉસ, સ્કૂલો તથા કોલેજોમાં લાગેલા પ્લાસ્ટિક ડોમ દૂર કરવા માટે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં તેમજ ટેલિફોનિક વાત કરીને તાત્કાલીક પગલાં લેવા રજૂઆત કરાયેલ છે.

વધુમાં રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે, હાલ મોરબી શહેરમાં ઘણી નર્સરી, પ્લે-હાઉસ, સ્કૂલો તથા કોલેજોમાં પ્લાસ્ટિકના ડોમ બનાવવામાં આવ્યા છે.આ પ્લાસ્ટિકના ડોમ બનાવવાને કારણે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના જીવની સલામતી નથી.આવા ડોમ લગાવેલી નર્સરી, પ્લે-હાઉસ, સ્કૂલો તથા કોલેજોમાં શોટ સર્કિટ તથા અન્ય કારણોસર આગ લાગવાની પણ શક્યતા રહેલી છે.તથા કુદરતી આફતો જેમ કે વાવાઝોડામાં આવા ડોમને કારણે જાનહાનિ થઈ શકે તેમ છે. જો ભવિષ્યમાં આવા ડોમના કારણે તક્ષશિલા જેવી ઘટના બને કે રાજકોટ ટીઆરપી ગેમઝોન જેવી ઘટના બને તો જવાબદાર કોને ઠેરાવવામાં આવશે  ? માટે મોરબી શહેરમાં લાગેલા આવા પ્લાસ્ટિક ડોમને તાત્કાલિક હટાવા જોઈએ તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવેલ છે.






Latest News