મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા
Breaking news
Morbi Today

મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ


SHARE













મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ

રાજકોટ ગેમઝોનમાં બનેલી ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી ત્યારે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ દ્વારા પત્ર લખીને બાલમંદિરથી શાળા-કોલેજ સુધીના જે કોઈપણ શૈક્ષણિક સંકુલોમાં  આ પ્રકારના પ્લાસ્ટિક ડોમ હોય તેને દૂર કરવા માંગ કરાયેલ છે.મોરબી શહેરમાં નર્સરી, પ્લે-હાઉસ, સ્કૂલો તથા કોલેજોમાં લાગેલા પ્લાસ્ટિક ડોમ દૂર કરવા માટે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં તેમજ ટેલિફોનિક વાત કરીને તાત્કાલીક પગલાં લેવા રજૂઆત કરાયેલ છે.

વધુમાં રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે, હાલ મોરબી શહેરમાં ઘણી નર્સરી, પ્લે-હાઉસ, સ્કૂલો તથા કોલેજોમાં પ્લાસ્ટિકના ડોમ બનાવવામાં આવ્યા છે.આ પ્લાસ્ટિકના ડોમ બનાવવાને કારણે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના જીવની સલામતી નથી.આવા ડોમ લગાવેલી નર્સરી, પ્લે-હાઉસ, સ્કૂલો તથા કોલેજોમાં શોટ સર્કિટ તથા અન્ય કારણોસર આગ લાગવાની પણ શક્યતા રહેલી છે.તથા કુદરતી આફતો જેમ કે વાવાઝોડામાં આવા ડોમને કારણે જાનહાનિ થઈ શકે તેમ છે. જો ભવિષ્યમાં આવા ડોમના કારણે તક્ષશિલા જેવી ઘટના બને કે રાજકોટ ટીઆરપી ગેમઝોન જેવી ઘટના બને તો જવાબદાર કોને ઠેરાવવામાં આવશે  ? માટે મોરબી શહેરમાં લાગેલા આવા પ્લાસ્ટિક ડોમને તાત્કાલિક હટાવા જોઈએ તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવેલ છે.






Latest News