મોરબી નજીક જેટકોના સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ: વીજ પુરવઠો ખોરવાઈ ગયો ડુપ્લિકેટ મતદારોને રોકવા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરો: મોરબીમાં રહેતા કે.ડી. બાવરવાની માંગ મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો માળીયા (મી)ના નાની બરાર ગામે શાળાના વિધાર્થીઓને પિગી બેંક આપી નવા સત્રની કરી શરૂઆત વાંકાનેરમાં અંધશ્રદ્ધા ફેલાવતી ભુઈ હનીફાબેન પઠાણની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ: લોકોની માફી માંગીને હવે ધતિંગ કર્યા બંધ મોરબી જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦ ની જન્મ જયંતીના અવસર પર પદયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે
Breaking news
Morbi Today

વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE



























વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા

વડાપ્રધાન મોદીજીના ૭૪ માં જન્મદિન નિમિતે ભુજ મધ્યે હોટલ વિરામમાં એક અનોખો અને મોદીજીને ખુબ જ ગમે તેવા કાર્યક્રમનું કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા આયોજન કરવામાં આવેલ.જનનાયક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૪ માં જન્મદિવસ નિમિતે તેમને હમેશા આદરયુક્ત દિવ્યાંગોને સ્વનિર્ભર બનાવવાની તેમને સહાયરૂપ થવાની મનોચ્છાને સકાર કરવા સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા તેમના જન્મદિન ઉજવણી નિમિતે મસ્કક્યુલર ડીસટ્રોફી નામના ગંભીર રોગથી પીડિત દિવ્યાંગ લોકોને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ-ભુજ, સુમિટો કેમીકલ ઈન્ડિયા લીમીટેડ, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના સહયોગે ૨૫ દિવ્યાંગોને ફ્રી ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા જિલ્લા કક્ષા, રાજય કક્ષાએ દોડ સ્પર્ધામાં ખ્યાતિ પામી રાષ્ટ્રીય કક્ષા ઓલમ્પિક ગેમ્સ માટીની તૈયારી કરી રહેલ ખેલાડીને આર્ટિફિશિયલ લેગ અર્પણ કરવામાં આવેલ.હોટેલ વિરામ-ભુજ માં આયોજીત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, તા.પ. ભુજ પ્રમુખ વિનોદ વારસાણી, અગદાન પ્રણેતા દિલિપભાઈ દેશમુખ ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, તાપસી શાહ, ભીમજીભાઈ જોધાણી, ઉપેન્દ્ર ઉપાધ્યાય, સુરેશભાઇ આહીર, સુમિટો કેમીકલ ઈન્ડિયા લીમીટેડ, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના આગેવાનો, આયુષ હોસ્પિટલ ઉપેન્દ્રસિંહ વાઘેલા તથા સમાજ નવનિર્માણ-ભુજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દિવ્યાંગોને વ્હીલચેર તથા આર્ટિફિશિયલ લેગ મહેમાનો સાથે રહી વિતરણ કરવામાં આવેલ.
















Latest News