હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE











વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા

વડાપ્રધાન મોદીજીના ૭૪ માં જન્મદિન નિમિતે ભુજ મધ્યે હોટલ વિરામમાં એક અનોખો અને મોદીજીને ખુબ જ ગમે તેવા કાર્યક્રમનું કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા આયોજન કરવામાં આવેલ.જનનાયક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૪ માં જન્મદિવસ નિમિતે તેમને હમેશા આદરયુક્ત દિવ્યાંગોને સ્વનિર્ભર બનાવવાની તેમને સહાયરૂપ થવાની મનોચ્છાને સકાર કરવા સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા તેમના જન્મદિન ઉજવણી નિમિતે મસ્કક્યુલર ડીસટ્રોફી નામના ગંભીર રોગથી પીડિત દિવ્યાંગ લોકોને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ-ભુજ, સુમિટો કેમીકલ ઈન્ડિયા લીમીટેડ, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના સહયોગે ૨૫ દિવ્યાંગોને ફ્રી ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા જિલ્લા કક્ષા, રાજય કક્ષાએ દોડ સ્પર્ધામાં ખ્યાતિ પામી રાષ્ટ્રીય કક્ષા ઓલમ્પિક ગેમ્સ માટીની તૈયારી કરી રહેલ ખેલાડીને આર્ટિફિશિયલ લેગ અર્પણ કરવામાં આવેલ.હોટેલ વિરામ-ભુજ માં આયોજીત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, તા.પ. ભુજ પ્રમુખ વિનોદ વારસાણી, અગદાન પ્રણેતા દિલિપભાઈ દેશમુખ ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, તાપસી શાહ, ભીમજીભાઈ જોધાણી, ઉપેન્દ્ર ઉપાધ્યાય, સુરેશભાઇ આહીર, સુમિટો કેમીકલ ઈન્ડિયા લીમીટેડ, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના આગેવાનો, આયુષ હોસ્પિટલ ઉપેન્દ્રસિંહ વાઘેલા તથા સમાજ નવનિર્માણ-ભુજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દિવ્યાંગોને વ્હીલચેર તથા આર્ટિફિશિયલ લેગ મહેમાનો સાથે રહી વિતરણ કરવામાં આવેલ.






Latest News