આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

ધાંધીયા યથાવત: મોરબીના મકનસર રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન


SHARE













ધાંધીયા યથાવત: મોરબીના મકનસર રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન

મોરબીના મકનસર ગામ પાસે આવેલ રેલ્વે સ્ટેશનથી પસાર થતી બે ડેમુ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તે ટ્રેન બંધ થઈ ગયેલ હતી જેથી કરીને મુસાફરો વચ્ચે રજડી પડ્યા હતા અને વારંવાર ડેમુ ટ્રેન મોરબીથી બંધ થતા થતા આજે સવારે વાંકાનેર સુધી પહોંચેલ હતી તેમ છતાં પણ વાંકાનેરથી આ ટ્રેનને પાછી મોરબી તરફ આવવા માટે રવાના કરવામાં આવી હતી ત્યારે મકનસર ગામ પાસે આ ટ્રેન રેલ્વે સ્ટેશન ઉપર બંધ થઈ જવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક મુસાફરોની તો ટ્રેન પણ ચૂકાઈ ગઈ હોવાની માહિતી જાણવા મળી રહી છે.

મોરબી અને વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન દોડાવવામાં આવતી હોય છે અને તે ડેમુ ટ્રેન મારફતે મોરબી થી વાંકાનેર અને વાંકાનેર થી મોરબી સુધી મુસાફરો આવતા જતા હોય છે અને ઘણા લોકોને વાંકાનેર રેલવે સ્ટેશનથી લાંબા અંતરની ટ્રેન પકડવી હોય તો તે ડેમુનો ઉપયોગ કરીને વાંકાનેર  રેલવે સ્ટેશન ખાતે પહોંચતા હોય છે જોકે ડેમુ ટ્રેન અવારનવાર ધાંધીયા કરતી હોવાના કારણે મુસાફરો અગાઉ અનેક વખત હેરાન થયા છે તેવી જ રીતે આજે સવારથી ડેમુ ટ્રેન ધાંધિયા કરી રહી હોવાની માહિતી મુસાફરો પાસેથી જાણવા મળી રહી છે અને મળતી માહિતી મુજબ હાલમાં 9:30 વાગ્યે વાંકાનેર થી ઉપડીને મોરબી તરફ આવી રહેલ ડેમુ ટ્રેન કોઈ કારણોસર મકાનસર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગઈ હતી જેથી કરીને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આજે સવારે 6:00 વાગ્યે મોરબીથી ડેમુ ટ્રેનને વાંકાનેર તરફ મોકલવામાં આવી હતી ત્યારે રસ્તામાં ત્રણ વખત આ ડેમુ ટ્રેન બંધ થઈ ગઈ હતી અને માંડ માંડ ડેમુ ટ્રેન વાંકાનેર રેલ્વે સ્ટેશન સુધી પહોંચી હતી તેમ છતાં તેમાં યોગ્ય રીપેરીંગ કામ કરીને પુન વાંકાનેરથી મોરબી તરફ મોકલવાના બદલે વાંકાનેરથી આ ટ્રેનને મોરબી તરફ રવાના કરવામાં આવી હતી અને દરમિયાન તે ટ્રેન પોણા દસ વાગ્યાના અરસામાં મકનસર ગામ પાસે રેલ્વે સ્ટેશન ખાતે બંધ થઈ ગઈ હતી. જેથી કરીને વાંકાનેરથી મોરબી તરફ આવી રહેલા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, સવારે 6:00 વાગ્યે જે ડેમુ ટ્રેન વાંકાનેર તરફ જઈ રહી હતી તે ડેમુમાં બેસીને જઈ રહેલા મુસાફરોમાંથી ઘણા મુસાફરોને ઇન્ટરસિટી તથા સૌરાષ્ટ્ર મેલમાં આગળની મુસાફરી કરવી હતી પરંતુ ડેમુ ટ્રેન બંધ થવાના કારણે તેઓ સમયસર ત્યાં ન પહોંચી શક્યા જેથી કરીને આ મુસાફરોની ટ્રેન ચૂકવાઇ ગઈ હતી.






Latest News