આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં બિલ્ડિંગની મંજુરી-ફાયર સેફ્ટીના અભાવે વીજ કનેક્શન ન મળતા ફ્લેટ ધારકો હેરાન: કલેકટરને રજૂઆત


SHARE













મોરબીમાં બિલ્ડિંગની મંજુરી-ફાયર સેફ્ટીના અભાવે વીજ કનેક્શન ન મળતા ફ્લેટ ધારકો હેરાન: કલેકટરને રજૂઆત

થોડા સમય પહેલા રાજકોટ ગેમઝોન દુર્ઘટના બની હતી ત્યાર પછીથી મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નવા ફ્લેટ ધારકોને પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન આપવામાં આવતા નથી જેથી કરીને લોકો હેરાન છે ત્યારે આ બાબતે ફ્લેટ ધારકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય કરવા માટે રજૂઆત કરી હતી.

મોરબીના જુદાજુદા વિસ્તારમાં નવ બહુમાળી બની રહ્યા છે જો કે, વીજ કનેક્શન આપવામાં આવતા નથી જેથી ફ્લેટ ધારકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે ત્યારે આજે આવા લોકો કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જણાવ્યુ હતું કે, તેઓને માલિકીના ફ્લેટમાં વીજ કનેક્શન પીજીવીસીએલ દ્વારા આપવામાં આવી રહ્યા નથી. જેથી કરીને ફ્લેટના માલિકો હોવા છતાં ભાડાના મકાનમાં રહેવું પડે છે. અને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ફ્લેટ ધારકોને વીજ કનેક્શન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ બાબતે કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, ઘણા બિલ્ડિંગમાં મંજૂરી નથી અને ફાયર સેફ્ટી પણ નથી જેથી પીજીવીસીએલ નવા મીટરની મંજૂરી નહીં આપે જો આવા બિલ્ડિંગમાં ભવિષ્યમાં રાજકોટ ગેમઝોન જેવી દુર્ઘટના થાય તો જવાબદાર તંત્ર ઠરશે. જેથી કરીને બાંધકામ મંજૂરી અને ફાયર સેફ્ટી માટે ફ્લેટ ધારકો બિલ્ડરને ફરિયાદ કરી શકે છે.






Latest News