મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી-હળવદ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઇ


SHARE













મોરબી-હળવદ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઇ

સરકાર દ્વારા સમગ્ર દેશ અને રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં પણ વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા મોરબીને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વર્ષે સ્વચ્છતા અભિયાનમાં સ્વચ્છતા આપણો સ્વભાવ અને આપણા સંસ્કાર બને તે માટે બાહ્ય સ્વચ્છતાની સાથે આંતરિક સ્વચ્છતા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે લોકોને આંતર મનથી સ્વચ્છ બનાવવા માટે મોરબી નગરપાલિકા દ્વારા મોરબી શહેરમાં તથા હળવદ નગરપાલિકા દ્વારા હળવદ શહેરમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં શાળાના બાળકો હોંશે હોંશે જોડાયા હતા અને વિવિધ યોગ અને આસનો કર્યા હતા. યોગ શિબિર અન્વયે સ્થળ પર સ્વચ્છતા સેલ્ફીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બાળકો એ સ્વચ્છતા ની થીમ સાથે સેલ્ફીઓ લીધી હતી.






Latest News