જામનગરમા આવેલ દરગાહમાંથી ચોરી કરનારા રાજકોટના બે રીઢા ચોરની મોરબીના નવલખી ફાટક પાસેથી ધરપકડ: 1.80 લાખનો મુદામાલ કબજે
SHARE
જામનગરમા આવેલ દરગાહમાંથી ચોરી કરનારા રાજકોટના બે રીઢા ચોરની મોરબીના નવલખી ફાટક પાસેથી ધરપકડ: 1.80 લાખનો મુદામાલ કબજે
જામનગરમા આવેલ વ્હોરાના હજીરામા આવેલી દરગાહને નિશાન બનાવીને ચોરી કરવામાં આવી હતી અને દાનપેટી તોડીને મુદામાલની ચોરી કરીને આરોપીઓ બુલેટ લઈને મોરબી તરફ આવી રહ્યા છે તેવી હક્કિત મોરબી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે વોચ ગોઠવીને 1.80 લાખના કુલ મુદામાલ સાથે હાલમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે અને આ અંગેની જાણ જામનગર પોલીસને કરવામાં આવેલ છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં બી ડિવિઝનના પીઆઇ એન.એ.વસાવાના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે જે.જે.ડાંગર, પ્રદીપસિંહ ઝાલા, શક્તિસીંહ જાડેજા, અજયસિંહ તિખુભાને મળેલ સંયુક્ત બાતમી આધારે થોડા દીવસ પહેલા જામનગરના સુભાસ બ્રીજની બાજુમા આવેલ પ્રસીધ્ધ વ્હોરા સમાજની દરગાહમા થયેલ ચોરીના ગુનામાં બન્ને આરોપીને બુલેટ સાથે મોરબીના નવાલખી ફાટક પાસેથી ઝડપી લેવામાં આવેલ છે. હાલમાં જે બે આરોપીને પકડવામાં આવેલ છે
તેમાં સીકંદર ઉર્ફે સીકલો સીદીકભાઈ પઢીયાર (40) રહે. ભગવતીપરા, જયમાળી ચા ની હોટલની બાજુમા રાજકોટ અને વિવેક બીરેંદ્રસિંઘ ચૌહાણ (36) રહે. કરણપરા શેરી નં- ૭ શુભ એપાર્ટમેંટ, રાજકોટનો સમાવેશ થાય છે અને આ બંને આરોપીઓએ જામનગરમાં આવેલ પ્રસીધ્ધ વ્હોરાના હજીરામાં આવેલ દરગાહની અંદર ચોરી કરી હતી અને મોરબીમા ચોરી કરે તે પહેલા પકડી પાડેલ છે અને પોલીસે સીકંદર પાસેથી 50 હજાર અને વિવેક પાસેથી 55 હજાર રોકડા તેમજ બુલેટ નંબર જીજે 3 એનઆર 9200 જેની કિંમત 75 હજાર આમ કુલ મળીને 1.80 લાખનો મુદામાલ કબજે કરેલ છે
જે બે આરોપીને મોરબીની પોલીસે પકડેલ છે તેના ગુનાહિત ઇતિહાસ વિષેની પોલીસે આપેલ માહિતી મુજબ આરોપી સીકંદર ઉર્ફે સીકલો પઢીયાર ઉપર જામનગર અને જેતપુરમાં કુલ મળીને ચોરીના ત્રણ ગુના નોંધાયેલ છે જયારે આરોપી વિવેક ચૌહાણ સામે રાજકોટના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ચોરીના કુલ મળીને 17 જેટલા ગુના નોંધાયેલ છે આ કામગીરી પીઆઇ એન.એ. વસાવાની સૂચના મુજબ જગદીશભાઇ ડાંગર, ભરતભાઇ ખાંભરા, ચંદ્રસિંહ પઢીયાર, રાજેશભાઇ ડાંગર, વિજયભાઇ ચાવડા, ધર્મેન્દ્રભાઇ રાંકજા, પ્રદિપસિંહ ઝાલા, બ્રીજેશભાઇ બોરીયા, યોગેશદાન ગઢવી, શક્તિસિંહ જાડેજા, અજયસિંહ રાણા, રમેશભાઇ રાઠોડ, દશરથસિંહ મસાણી, સંજયભાઇ લકુમ, સુખદેવભાઇ ગઢવી, પ્રીયંકાબેન પૈજાએ કરેલ છે.