મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નોકરીની લાલચ આપીને કરાયેલ છેતરપિંડીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબી જીલ્લામાં નોકરીની લાલચ આપીને કરાયેલ છેતરપિંડીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

રેલ્વેમાં ટીકીટ કલેકટરની નોકરી અપાવવાની લાલચ આપીને છેતરપીડી કરી હતી જે ગુનામાં આરોપીને પકડવામાં આવેલ હતો અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં પુરાવા અને વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે.

આ ફરીયાદ પક્ષના કેસની ટુંકમા હકીકત એવી છે કે, ઘીરજલાલ રામશંકર મહેતા (આરોપી)એ તા. ૧૯-૩-૨૦૦૧ ના રોજ કલાક ૨૦:૩૦ થી ૨૪ દરમ્યાન વાંકાનેર રેલ્વે કોલોની લોકો કવાર્ટસ ૧૩/ટી માં ફરીયાદીને તેમની દીકરી તથા જમાઈને રેલ્વેમાં ટીકીટ કલેકટરની નોકરી અપાવવાની લાલચ આપી હતી અને રૂપિયા ૩૭,૫૦૦ ની રોકડ રકમ મેળવી છેતરપીડી કરી હતી જેથી કરીને આઈપીસી કલમ ૪૧૯, ૪૨૦, ૧૭૦, ૪૦૬ મુજબની ફરીયાદ આરોપી વિરૂધ્ધ રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ પાર્ટ ગુના રજી. નંબર ૪૨/૨૦૦૧ થી ગુનો દાખલ કરી તપાસ કરનાર અધિકારીએ તપાસના અંતે પુરતો પુરાવો જણાતા અત્રેની અદાલતમાં ઉપરોકત ગુન્હા સબબ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ છે અને ફોજદારી કેસ નંબર ૬૯૫/૨૦૦૯ થી કેસ દાખલ થયેલ હતો. આ કેસમાં આરોપીના વકીલ હરદેવસિંહ એચ. જાડેજા રોકાયેલ હતા અને તેઓએ પુરાવાના આધારે તેમજ ધારદાર દલીલ કરતા મોરબીના ચીફ જયુડી. મેજી.એ આરોપી ધીરજલાલ રામશંકર મહેતા (ઉ.વ.આ.૬૧) રહે. શીવ શકિત કોમ્પલેકસ પાંચમા માળે, એસ.બી. રોડ, દહીસર ઈસ્ટ (મુંબઈ) વાળાને આ ગુનામાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં આરોપી તરફથી મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી હરદેવસિંહ એચ.જાડેજા રોકાયેલ હતા.






Latest News