મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાંનેર પ્રખંડમાં હિન્દૂ સંમેલન યોજાયા


SHARE













મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાંનેર પ્રખંડમાં હિન્દૂ સંમેલન યોજાયા

વિશ્વ હિન્દૂ પરિષદ  મોરબી જિલ્લામાં ષષ્ઠીપુરતી વર્ષ એટલે કે વિહીપને જ્યારે ૬૦ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે ભારતભરના દરેક જિલ્લાના દરેક પ્રખંડમાં વિરાટ હિન્દૂ સંમેલનનું આયોજન કરવાનું હોય ત્યારે આપણા મોરબી જિલ્લાના ટંકારા પ્રખંડમાં, વાંકાંનેર પ્રખંડમાં તથા મોરબી પ્રખંડમાં પણ હિંદુ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ટંકારા પ્રખંડમાં  સંત નિરંજનદાસજી મહારાજ દ્વારા આશીર્વચન આપ્યા હતા, સુરેન્દ્રનગર વિભાગ બજરંગદળ સંયોજક કમલભાઈ દવે દ્વારા વિહીપ વિશે થોડી માહીતી આપી હતી અને ત્યારબાદ સુરેન્દ્રનગર વિભાગના સમાજીક સમરસતાના સંયોજક રમેશભાઈ પંડયા કે, જે આ કાર્યક્રમના મુખ્ય વક્તા હતા તેમને પોતાનું વક્તવ્ય આપ્યું હતુ. આ કાર્યક્રમમાં વિભાગ તથા જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ  સવસાણી, પરેશભાઈ તન્ના, ટંકારાના કાર્યકર્તા યોગીરાજસિંહએ કાર્યક્રમને સફળ કરવા ખુબ મહેનત કરી હતી.  એવી જ રીતે વાંકાનેર પ્રખંડમાં ગાયત્રી શકિત પીઠ મંદીર ખાતે પણ હિન્દૂ સંમેલન યોજવામાં આવ્યું હતુ જ્યાં મંદિરના સંત અશ્વિન બાપુ તથા ભુરયા હનુમાનજીની જગ્યાના મંહત સતિષબાપુ માધવાચારય દ્વારા આશીર્વચન આપવામા આવ્યું હતુ ત્યાર બાદ વિહીપ મોરબી જિલ્લા મંત્રી ભાવિકભાઈ ભટ્ટ મુખ્ય વક્તા તરીકે વિહીપના ષષ્ઠીપુરતી વર્ષ પુરા કર્યા તેના વિશે માર્ગદર્શન આપ્યું હતુ. વાંકાનેર પ્રખંડના અધ્યક્ષ ઘનશ્યામસિંહ ચૌહાણ દ્વારા પણ વિહીપની થોડી માહીતી આપી વધુ લોકોને વિહીપમાં જોડવા આહવાન કર્યું હતું. મોરબી જિલ્લા બજરંગદળ સહ સંયોજક મહેશભાઈ રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ વાંકાનેર પ્રખંડના અધ્યક્ષ ઘનશ્યામસિંહ ચૌહાણ તથા વાકાનેર પ્રખંડ બજરંગદળ સંયોજક અનિલભાઈ કુનપરાએ ખુબ મહેનત કરી હતી.






Latest News