મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગેરકાયદે ચાલતા પશુ કતલખાના બંધ કરવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની કલેકટરને રજૂઆત


SHARE













મોરબી જિલ્લામાં ગેરકાયદે ચાલતા પશુ કતલખાના બંધ કરવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની કલેકટરને રજૂઆત

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં મંજૂરી વિના કતલખાના ચાલી રહેલા છે આવા ગેરકાયદે પશુ કતલખાના બંધ કરાવવા માટે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મોરબીના કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કલેકટરને કરેલ આ રજુઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી વગર ચાલતા પશુ કતલખાના અને પશુ પ્રત્યેના ઘાતકીપણાના કૃત્યો બંધ કરાવવા અનિવાર્ય છે. જીલ્લામાં જાહેર રોડ રસ્તા પર ચાલતા કતલખાનાના કારણે જિલ્લામાં રહેતા બહુમતી હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે જેની તેઓને વારંવાર ફરિયાદ મળે છે. માટે હાઇકોર્ટની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને આવી રીતે ગેરકાયદેસર ચાલતા કતલખાના અને સામાજિક દૂષણ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે અને હિન્દુ સમાજની લાગણી દુભાવનારાઓની સામે વહીવટી તંત્ર કડક પગલા ભરે અને કાયદો વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહે તે માટે જાહેરનામું અમલી કરવામાં આવે તે જરૂરી છે.

વધુમાં જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના પંચાસર રોડ પર આવેલી મહાદેવનગર સોસાયટીની સામે સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી નોનવેજનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે.જેથી ત્યાંના લોકોની રજૂઆત મળી હતી કે ત્યાંથી પસાર થઈએ ત્યારે ભયંકર દુર્ગંધ હોય છે અને રોગચાળાનો પણ ભય રહે છે જેથી ગણેશ વિસર્જન સમયે જે પ્રકારે જાહેરનામાનો કડક અમલ કરાવ્યો હતો એવી જ રીતે કતલખાના અને નોનવેજના વેચાણ અંગે જીલ્લામાં જાહેરનામું બહાર પાડીને ગેરકાયદે કતલખાના બંધ કરાવવા માટે જાહેરનામાનુનું કડક પાલન કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે.








Latest News