મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગેરકાયદે ચાલતા પશુ કતલખાના બંધ કરવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની કલેકટરને રજૂઆત


SHARE









મોરબી જિલ્લામાં ગેરકાયદે ચાલતા પશુ કતલખાના બંધ કરવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની કલેકટરને રજૂઆત

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં મંજૂરી વિના કતલખાના ચાલી રહેલા છે આવા ગેરકાયદે પશુ કતલખાના બંધ કરાવવા માટે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મોરબીના કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કલેકટરને કરેલ આ રજુઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી વગર ચાલતા પશુ કતલખાના અને પશુ પ્રત્યેના ઘાતકીપણાના કૃત્યો બંધ કરાવવા અનિવાર્ય છે. જીલ્લામાં જાહેર રોડ રસ્તા પર ચાલતા કતલખાનાના કારણે જિલ્લામાં રહેતા બહુમતી હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે જેની તેઓને વારંવાર ફરિયાદ મળે છે. માટે હાઇકોર્ટની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને આવી રીતે ગેરકાયદેસર ચાલતા કતલખાના અને સામાજિક દૂષણ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે અને હિન્દુ સમાજની લાગણી દુભાવનારાઓની સામે વહીવટી તંત્ર કડક પગલા ભરે અને કાયદો વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહે તે માટે જાહેરનામું અમલી કરવામાં આવે તે જરૂરી છે.

વધુમાં જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના પંચાસર રોડ પર આવેલી મહાદેવનગર સોસાયટીની સામે સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી નોનવેજનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે.જેથી ત્યાંના લોકોની રજૂઆત મળી હતી કે ત્યાંથી પસાર થઈએ ત્યારે ભયંકર દુર્ગંધ હોય છે અને રોગચાળાનો પણ ભય રહે છે જેથી ગણેશ વિસર્જન સમયે જે પ્રકારે જાહેરનામાનો કડક અમલ કરાવ્યો હતો એવી જ રીતે કતલખાના અને નોનવેજના વેચાણ અંગે જીલ્લામાં જાહેરનામું બહાર પાડીને ગેરકાયદે કતલખાના બંધ કરાવવા માટે જાહેરનામાનુનું કડક પાલન કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News