મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાંથી અપર્હત સગીરા સગીર આરોપી સાથે મનાલીથી મળી


SHARE













મોરબીમાંથી અપર્હત સગીરા સગીર આરોપી સાથે મનાલીથી મળી

મોરબીના જુના બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારની સગીરાનું થોડા દિવસો પહેલા અપહરણ થયું હતું અને જેની તપાસ દરમિયાન એ ડિવિઝન પોલીસે ભોગ બનેલ સગીરાને સગીર આરોપીની સાથે મનાલી ખાતેથી હસ્તગત  કરી હતી.આરોપી (કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર) પણ સગીર હોવાના લીધે તેને રાજકોટ બાળ સુધારણા ગૃહમાં મોકલવામાં આવ્યો હોવાનું હાલ પોલિસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી એ ડીવીજન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલા ઘાંચી શેરી વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું થોડા સમય પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. ભોગ બનેલ સગીરા તેમજ આરોપી બંને કુલુ મનાલી ખાતે હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફએ ત્યાં પહોંચીને ભોગ બનેલ સગીરાને હસ્તગત કરી હતી.અને સાથે મળી આવેલ આરોપી પણ સગીર વયનો હોવાના લીધે તેને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.કોર્ટ તરફથી હુકમ કરાતા હાલ તેને રાજકોટ બાળ સુધારણા ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભોગ બનેલ સગીરાના ઘર નજીક આરોપીના કૌટુંબિક સગા રહેતા હોય તે ત્યાં આવતો જતો હતો.જેથી કરીને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી અને બાદમાં તેણીને મનાલી ખાતે ફરવા માટે લઈ ગયો હતો.પોલીસ દ્વારા સગીરાના મેડિકલ સહિતની આગળની તજવીજ હાથ ધરાય છે.

રાજકોટ ખસેડાયા

મોરબીના રફાળેશ્વર ગામથી જોધપર જતા રસ્તા ઉપર બાઈક અકસ્માત થયો હતો.જેમાં બાઈક લઈને જઈ રહેલ વિનોદભાઈ રાયધનભાઈ મંઢ (ઉંમર ૩૪) રહે.મેઘપર તાલુકો માળીયા મીયાણા જીલ્લો મોરબી ના બાઇકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હળફેટ લીધું હતું જે બનાવમાં વિનોદભાઈને ઇજાઓ થતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હાલ ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હોય તાલુકા પોલીસ મથકના બી.જી. દેત્રોજા દ્વારા આ અકસ્માત બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News