ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ગીર સોમનાથથી માતાનાં મઢ (કચ્છ) જતી પોલીસ ટીમની સાયકલ યાત્રાનું ટંકારાના વિરપર ગામે કરાયું સ્વાગત 


SHARE













ગીર સોમનાથથી માતાનાં મઢ (કચ્છ) જતી પોલીસ ટીમની સાયકલ યાત્રાનું ટંકારાના વિરપર ગામે કરાયું સ્વાગત 

મોરબી જિલ્લાના વીરપર ગામે ગીર સોમનાથ, ધોરાજી, રાજકોટ વગેરે વિસ્તારમાંથી સાત પોલીસ કર્મચારીઓ નવરાત્રી દરમિયાન દર વર્ષે માતાનામઢ કચ્છ ખાતે માં આશાપુરાના દર્શન સાયકલ યાત્રાથી કરે છે તેનું મોરબી જિલ્લાના વીરપર ગામ ખાતે ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જે અંગેની વિશેષ માહિતી વીરપર ગામના ક્ષત્રિય સમાજના જયપાલસિંહ જાડેજા, દિગ્વિજયસિંહજી રાજપુત છાત્રાલય લીબડીના ભુતપૂર્વ વિદ્યાર્થીએ આપેલ વિગત એવી છે કે ગીર સોમનાથ જિલ્લા માં એલ.સી.બી. મા ફરજ બજાવતા પીઆઇ એ.બી. જાડેજા, દિગ્વિજય સિંહજી રાજપુત છાત્રાલય લીબડીના ભુતપૂર્વ વિદ્યાર્થી છે અને જે છેલ્લા સાત વર્ષથી માતાના મઢ કચ્છ વિસ્તારમાં મા આશાપુરા ના દર્શન સાયકલ યાત્રાથી કરી રહ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી અન્ય પોલીસ કર્મચારીઓ પણ તેની સાથે જોડાય છે. આ યાત્રામાં પીઆઇ ઉપરાંત યુવરાજસિંહ સરવૈયા, ક્રિપાલસિંહ જાડેજા, જેઠુભા જાડેજા અને વિશાલભાઈ પરમાર વગેરે 7 પોલીસ કર્મચારીઓ જોડાયેલ છે. આ સાયકલ યાત્રાનું સ્વાગત ક્ષત્રિય, કોળી અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે વીરપરના રહેવાસી જયપાલસિંહ જાડેજા, પૂર્વ ઉપસરપંચ પ્રહલાદસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, ચંદ્રરાજસિંહ જાડેજા, ભૂપીરાજસિંહ જાડેજા અને કોળી સમાજના ભુપતભાઈ કોળી મુસ્લિમ સમાજના અબ્દુલભાઈ ઉન્નતપોત્રા સહિતના હાજર રહ્યા હતા.






Latest News