મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરાઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ!
Breaking news
Morbi Today

ગીર સોમનાથથી માતાનાં મઢ (કચ્છ) જતી પોલીસ ટીમની સાયકલ યાત્રાનું ટંકારાના વિરપર ગામે કરાયું સ્વાગત 


SHARE









ગીર સોમનાથથી માતાનાં મઢ (કચ્છ) જતી પોલીસ ટીમની સાયકલ યાત્રાનું ટંકારાના વિરપર ગામે કરાયું સ્વાગત 

મોરબી જિલ્લાના વીરપર ગામે ગીર સોમનાથ, ધોરાજી, રાજકોટ વગેરે વિસ્તારમાંથી સાત પોલીસ કર્મચારીઓ નવરાત્રી દરમિયાન દર વર્ષે માતાનામઢ કચ્છ ખાતે માં આશાપુરાના દર્શન સાયકલ યાત્રાથી કરે છે તેનું મોરબી જિલ્લાના વીરપર ગામ ખાતે ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જે અંગેની વિશેષ માહિતી વીરપર ગામના ક્ષત્રિય સમાજના જયપાલસિંહ જાડેજા, દિગ્વિજયસિંહજી રાજપુત છાત્રાલય લીબડીના ભુતપૂર્વ વિદ્યાર્થીએ આપેલ વિગત એવી છે કે ગીર સોમનાથ જિલ્લા માં એલ.સી.બી. મા ફરજ બજાવતા પીઆઇ એ.બી. જાડેજા, દિગ્વિજય સિંહજી રાજપુત છાત્રાલય લીબડીના ભુતપૂર્વ વિદ્યાર્થી છે અને જે છેલ્લા સાત વર્ષથી માતાના મઢ કચ્છ વિસ્તારમાં મા આશાપુરા ના દર્શન સાયકલ યાત્રાથી કરી રહ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી અન્ય પોલીસ કર્મચારીઓ પણ તેની સાથે જોડાય છે. આ યાત્રામાં પીઆઇ ઉપરાંત યુવરાજસિંહ સરવૈયા, ક્રિપાલસિંહ જાડેજા, જેઠુભા જાડેજા અને વિશાલભાઈ પરમાર વગેરે 7 પોલીસ કર્મચારીઓ જોડાયેલ છે. આ સાયકલ યાત્રાનું સ્વાગત ક્ષત્રિય, કોળી અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે વીરપરના રહેવાસી જયપાલસિંહ જાડેજા, પૂર્વ ઉપસરપંચ પ્રહલાદસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, ચંદ્રરાજસિંહ જાડેજા, ભૂપીરાજસિંહ જાડેજા અને કોળી સમાજના ભુપતભાઈ કોળી મુસ્લિમ સમાજના અબ્દુલભાઈ ઉન્નતપોત્રા સહિતના હાજર રહ્યા હતા.






Latest News