મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ગીર સોમનાથથી માતાનાં મઢ (કચ્છ) જતી પોલીસ ટીમની સાયકલ યાત્રાનું ટંકારાના વિરપર ગામે કરાયું સ્વાગત 


SHARE













ગીર સોમનાથથી માતાનાં મઢ (કચ્છ) જતી પોલીસ ટીમની સાયકલ યાત્રાનું ટંકારાના વિરપર ગામે કરાયું સ્વાગત 

મોરબી જિલ્લાના વીરપર ગામે ગીર સોમનાથ, ધોરાજી, રાજકોટ વગેરે વિસ્તારમાંથી સાત પોલીસ કર્મચારીઓ નવરાત્રી દરમિયાન દર વર્ષે માતાનામઢ કચ્છ ખાતે માં આશાપુરાના દર્શન સાયકલ યાત્રાથી કરે છે તેનું મોરબી જિલ્લાના વીરપર ગામ ખાતે ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જે અંગેની વિશેષ માહિતી વીરપર ગામના ક્ષત્રિય સમાજના જયપાલસિંહ જાડેજા, દિગ્વિજયસિંહજી રાજપુત છાત્રાલય લીબડીના ભુતપૂર્વ વિદ્યાર્થીએ આપેલ વિગત એવી છે કે ગીર સોમનાથ જિલ્લા માં એલ.સી.બી. મા ફરજ બજાવતા પીઆઇ એ.બી. જાડેજા, દિગ્વિજય સિંહજી રાજપુત છાત્રાલય લીબડીના ભુતપૂર્વ વિદ્યાર્થી છે અને જે છેલ્લા સાત વર્ષથી માતાના મઢ કચ્છ વિસ્તારમાં મા આશાપુરા ના દર્શન સાયકલ યાત્રાથી કરી રહ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી અન્ય પોલીસ કર્મચારીઓ પણ તેની સાથે જોડાય છે. આ યાત્રામાં પીઆઇ ઉપરાંત યુવરાજસિંહ સરવૈયા, ક્રિપાલસિંહ જાડેજા, જેઠુભા જાડેજા અને વિશાલભાઈ પરમાર વગેરે 7 પોલીસ કર્મચારીઓ જોડાયેલ છે. આ સાયકલ યાત્રાનું સ્વાગત ક્ષત્રિય, કોળી અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે વીરપરના રહેવાસી જયપાલસિંહ જાડેજા, પૂર્વ ઉપસરપંચ પ્રહલાદસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, ચંદ્રરાજસિંહ જાડેજા, ભૂપીરાજસિંહ જાડેજા અને કોળી સમાજના ભુપતભાઈ કોળી મુસ્લિમ સમાજના અબ્દુલભાઈ ઉન્નતપોત્રા સહિતના હાજર રહ્યા હતા.






Latest News