મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી ! મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે માલગાડીની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત


SHARE













વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે માલગાડીની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે રેલવે ટ્રેક ઉપરથી માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે માલગાડીની હડફેટે અજાણ્યો યુવાન ચડી ગયો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આગળની વધુ તપાસ રેલવેના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી ગઇકાલે તા. 23/9 વહેલી સવારે રેલ્વે ટ્રેક ઉપરથી માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે માલગાડીની હડફેટે અજાણ્યો 40 વર્ષનો યુવાન અથડાયો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ અંગેની જાણ કરતા રેલવે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાર બાદ મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મૃતક યુવાનના પરિવારજનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આ અંગેની આગળની વધુ તપાસ રેલવેના પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે જોકે, મૃતક વ્યક્તિને કોઈ જાણતા હોય તો તેમણે ધર્મેન્દ્રસિંહ જાડેજાના મોબાઈલ નંબર 63526 35525 ઉપર સંપર્ક કરવા માટે તેઓએ જણાવ્યું છે






Latest News