ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે માલગાડીની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત


SHARE













વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે માલગાડીની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે રેલવે ટ્રેક ઉપરથી માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે માલગાડીની હડફેટે અજાણ્યો યુવાન ચડી ગયો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આગળની વધુ તપાસ રેલવેના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી ગઇકાલે તા. 23/9 વહેલી સવારે રેલ્વે ટ્રેક ઉપરથી માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે માલગાડીની હડફેટે અજાણ્યો 40 વર્ષનો યુવાન અથડાયો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ અંગેની જાણ કરતા રેલવે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાર બાદ મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મૃતક યુવાનના પરિવારજનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આ અંગેની આગળની વધુ તપાસ રેલવેના પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે જોકે, મૃતક વ્યક્તિને કોઈ જાણતા હોય તો તેમણે ધર્મેન્દ્રસિંહ જાડેજાના મોબાઈલ નંબર 63526 35525 ઉપર સંપર્ક કરવા માટે તેઓએ જણાવ્યું છે






Latest News