મોરબીમાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો શુક્રવારે માર્કેટ યાર્ડ ખાતે યોજાશે
વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે માલગાડીની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત
SHARE
વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે માલગાડીની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત
વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે રેલવે ટ્રેક ઉપરથી માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે માલગાડીની હડફેટે અજાણ્યો યુવાન ચડી ગયો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આગળની વધુ તપાસ રેલવેના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.
વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી ગઇકાલે તા. 23/9 વહેલી સવારે રેલ્વે ટ્રેક ઉપરથી માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે માલગાડીની હડફેટે અજાણ્યો 40 વર્ષનો યુવાન અથડાયો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ અંગેની જાણ કરતા રેલવે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાર બાદ મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મૃતક યુવાનના પરિવારજનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આ અંગેની આગળની વધુ તપાસ રેલવેના પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે જોકે, મૃતક વ્યક્તિને કોઈ જાણતા હોય તો તેમણે ધર્મેન્દ્રસિંહ જાડેજાના મોબાઈલ નંબર 63526 35525 ઉપર સંપર્ક કરવા માટે તેઓએ જણાવ્યું છે









