મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

હળવદના નવા અમરાપર પાસે નર્મદાની કેનાલમાંથી અજાણી 40 વર્ષની મહિલાની લાશ મળી: તપાસ શરૂ


SHARE











હળવદના નવા અમરાપર પાસે નર્મદાની કેનાલમાંથી અજાણી 40 વર્ષની મહિલાની લાશ મળી: તપાસ શરૂ

હળવદ તાલુકાના નવા અમરાપર ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી અજાણી 40 વર્ષની મહિલાની લાશ મળી આવેલ છે જેથી કરીને આ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે હળવદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતા સંજયભાઈ ઉર્ફે બકાભાઇ રામજીભાઈ અદગામા (36) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે તેઓના ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણી 40 વર્ષની ઉંમરની મહિલાની લાશ પડી છે જેથી કરીને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં પડેલ મહિલાની લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે થઈને હળવદ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે અને આ અંગેની આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના જી.પી.ટાપરીયા ચલાવી રહ્યા છે

ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં

મોરબી તાલુકાના વીરપરડા ગામની સીમમાં વિકાસભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કાળુભાઈ મહેશભાઈ (22) નામના યુવાનને વાડીએ હતો ત્યારે ત્યાં ઝેરી જનાવર કરડી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News