મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ગટરમાં પડી ગયેલા આખલાને લોકોએ જેસીબીથી બહાર કાઢ્યો


SHARE













મોરબીમાં ગટરમાં પડી ગયેલા આખલાને લોકોએ જેસીબીથી બહાર કાઢ્યો

મોરબીના લખધીરવાસ ગેટ પાસે અવાર નવાર ગૌવંશ ભૂગર્ભ ગટરમાં પડી જતા હોય છે જેથી કરીને ત્યાં યોગ્ય ઢાંકણા મૂકવામાં આવે તેવી વારંવાર રજૂઆત પાલિકામાં કરવામાં આવે છે તેમ છતાં પણ પાલિકા કોઈ યોગ્ય નિરાકરણ કરતી નથી તેવામાં વધુ એક ગૌવંશ ગટરમાં પડ્યું હતું અને તેની જાણ સ્થાનિક લોકોને થતાં જેસીબીની મદદથી તેને બહાર કાઢવામાં આવેલ છે અને હવે જો ત્યાં યોગ્ય રીતે ઢાંકીને પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક લેવામાં નહીં આવે તો સર્વે હિન્દુ  સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. વધુમાં આગેવાને જણાવ્યુ હતું કે, નગરપાલિકાના કર્મચારીઓને ફોન કરતા લગભગ બધાના ફોન સ્વીચ ઓફ આવતા હોય છે અને ગટરમાં પડેલા ગૌવંશોને લોકોએ તેની રીતે વ્યવસ્થા કરીને બહાર કાઢવા પડે છે. તેવું સર્વ હિન્દુ સંગઠન કન્વીનર કે.બી. બોરીચાએ જણાવ્યુ છે. 






Latest News