મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઈ કુંભરવાડિયાની બિનહરીફ વરણી


SHARE













મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઈ કુંભરવાડિયાની બિનહરીફ વરણી

મોરબીના શનાળા રોડે આવેલ જ્ઞાનપથ વિદ્યાલયમાં જિલ્લા કારોબારી અને સામાન્ય સભા મળી હતી. જેમાં મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષક સંઘના તમામ હોદ્દેદારોઓ અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. જેમાં ખાસ ચાલુ વર્ષની કારોબારીની મુદત તા.૩૧/૧૦/૨૦૨૪ ના રોજ પૂર્ણ થાય છે જેથી કરીને તમામ હોદ્દેદારો અને કારોબારીઓ દ્વારા સર્વાનુમતે નવી કારોબારીની બિનહરીફ રચના કરવામાં આવી છે. જેમા પ્રમુખ, મહામંત્રીની આ ચોથી ટર્મમાં પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમજ અન્ય હોદ્દાદારો અને કારોબારી સભ્યોની પણ સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે અને નવનિયુક્ત હોદેદારો અને કારોબારીમાં પ્રમુખ ભગવાનભાઈ એ. કુંભરવાડિયા, મહામંત્રીમાં વિશાલકુમાર એમ. ગોધાણી, ઉપપ્રમુખમાં બાબુલાલ એલ. પીઠીયા અને સચિનભાઈ એસ. કામદાર, સહમંત્રીમાં મહેન્દ્રભાઈ વી. ક્યોટ અને સમસુદ્દીન યુ. માથકિયા, સંગઠનમંત્રીમાં પાલાભાઈ કે. વરૂ, કોષાધ્યક્ષમાં વરજાંગભાઈ વી. ચોપડા,  અન્વેષકમાં અનિલભાઈ એચ. કૈલા, કાર્યાલયમંત્રી વિનોદભાઈ આર. કૈલા, રાજ્ય કારોબારી વનરાજભાઈ એ. ડામોર તેમજ કારોબારી સભ્યમાં લખુભા. એ. ગોહિલ, એચ.એ. કડીવાર, પી.પી. લાખણોત્રા અને એસ.એ. શેરસીયાનો સમાવેશ કરેલ છે.






Latest News