ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના હાઉસીંગ બોર્ડને આખલાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત ! 


SHARE













મોરબીના હાઉસીંગ બોર્ડને આખલાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત ! 

મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર આવેલ હાઉસીંગ બોર્ડમાં આખલાનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે જીવલેણ અકસ્માત થાય તે પહેલા આખલાને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી શહેર કોંગ્રેસનાં સંગઠન મંત્રી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં શહેર કોંગ્રેસનાં સંગઠન મંત્રી સુરપલસિંહ જાડેજા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી આખલાઓ ત્રાંસ વધી રહ્યો છે અને ઘણી વખત લોકોને આખલા ગંભીર ઈજાઓ કરેલ છે અને વાહનોના અકસ્માત પણ થાય છે અને વાહનોમાં નુકશાન પણ કરે છે. જેથી કરીને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે હાલમાં મોરબી શહેરમાં વોર્ડ નં.૯ માં શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં જ્ઞાનપથ સ્કુલની સામે છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ છે જેથી લોકો અને સ્કુલે જતાં બાળકો સહિતનાઓની ઉપર સતત જોખમ રહે છે ત્યારે ભવિષ્યમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તેની રાહ જોયા વગર વહેલી તકે કામ કરવામાં આવે તેવી માંગ કરી છે.

આ ઉપરોકત પ્રશ્ન બાબતે સોશિયલ મીડીયામાં અવારનવાર ફોટો તેમજ વીડીયો મારફત લોકોએ તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરેલ છે. તેમજ અધિકારીઓ દ્વારા મોરબી શહેરને આખલાઓના ત્રાસથી મુક્તિ આપવા માટે વાતો પણ કરવામાં આવે છે જો કે, કામ માત્રને માત્ર કાગળ ઉપર થાય છે અને નિદ્રાધીન તંત્ર દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવેલ નથી. જેથી આખલાઓના ટ્રાન્સ માંથી નગરજનોને વહેલી તકે મુક્તિ અપાવવામાં આવે તે નિવાર્ય છે






Latest News