મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીના હાઉસીંગ બોર્ડને આખલાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત ! 


SHARE











મોરબીના હાઉસીંગ બોર્ડને આખલાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત ! 

મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર આવેલ હાઉસીંગ બોર્ડમાં આખલાનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે જીવલેણ અકસ્માત થાય તે પહેલા આખલાને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી શહેર કોંગ્રેસનાં સંગઠન મંત્રી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં શહેર કોંગ્રેસનાં સંગઠન મંત્રી સુરપલસિંહ જાડેજા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી આખલાઓ ત્રાંસ વધી રહ્યો છે અને ઘણી વખત લોકોને આખલા ગંભીર ઈજાઓ કરેલ છે અને વાહનોના અકસ્માત પણ થાય છે અને વાહનોમાં નુકશાન પણ કરે છે. જેથી કરીને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે હાલમાં મોરબી શહેરમાં વોર્ડ નં.૯ માં શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં જ્ઞાનપથ સ્કુલની સામે છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ છે જેથી લોકો અને સ્કુલે જતાં બાળકો સહિતનાઓની ઉપર સતત જોખમ રહે છે ત્યારે ભવિષ્યમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તેની રાહ જોયા વગર વહેલી તકે કામ કરવામાં આવે તેવી માંગ કરી છે.

આ ઉપરોકત પ્રશ્ન બાબતે સોશિયલ મીડીયામાં અવારનવાર ફોટો તેમજ વીડીયો મારફત લોકોએ તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરેલ છે. તેમજ અધિકારીઓ દ્વારા મોરબી શહેરને આખલાઓના ત્રાસથી મુક્તિ આપવા માટે વાતો પણ કરવામાં આવે છે જો કે, કામ માત્રને માત્ર કાગળ ઉપર થાય છે અને નિદ્રાધીન તંત્ર દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવેલ નથી. જેથી આખલાઓના ટ્રાન્સ માંથી નગરજનોને વહેલી તકે મુક્તિ અપાવવામાં આવે તે નિવાર્ય છે






Latest News