મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીન ઉપરથી નીચે પડતાં માથામાં હેમરેજ થવાથી મહિલાનું મોત
માળીયા (મી)ના વાધરવા ગામની શાળાના આચાર્ય એન.એન.ભટ્ટનો વિદાય સમારંભ યોજાયો
SHARE
માળીયા (મી)ના વાધરવા ગામની શાળાના આચાર્ય એન.એન.ભટ્ટનો વિદાય સમારંભ યોજાયો
આજ રોજ મરવડ કેળવણી મંડળ રંગપર દ્વારા શ્રી આદ્યશક્તિ વિદ્યા મંદિર વાધરવાના આચાર્ય એન.એન.ભટ્ટનો વિદાય સમારંભ યોજાયો હતો આ તકે ટ્રસ્ટના પ્રમુખ દિલુભા ઝાલા તેમજ સહકારી અગ્રણી મગનભાઇ વડાવિયા, કથાકાર દિલીપભાઈ વ્યાસ, બ્રહ્મ અગ્રણી ડો.અનિલભાઇ મહેતા તેમજ હસુભાઇ પંડયા, ઓમશાંતિ સ્કુલના પ્રમુખ સુમનભાઈ પટેલ, માળીયા તાલુકા સંધના પ્રમુખ મનહરભાઈ બાવરવા તેમજ વાધરવાના સરપંચ અનિરુધસિંહ જાડેજા, રાજપુત સમાજ અગ્રણી મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર), વાધરવા સ્કુલનાં આચાર્ય તથા સર્વે સ્ટાફ મિત્રો તેમજ ગામનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રાજેશભાઇ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું.