મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે સુલેહ શાંતિ ભંગ કરવા ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરતાં રજૂઆત કરાઇ


SHARE













મોરબીના ખાનપર ગામે સુલેહ શાંતિ ભંગ કરવા ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરતાં રજૂઆત કરાઇ

મોરબીના ખાનપર ગામે ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરીને ગામની સુલેહ અને શાંતિ ભંગ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે અરજદાર જમીનમાં શરત ભંગ કરાતો હોવા અંગે ગ્રામ પંચાયતે મામલતદારને લેખિત રજૂઆત કરી છે

મોરબીની ખાનપર ગ્રામ પંચાયતના સરપંચ ખંતીલભાઈ ભીમાણીની આગેવાનીમાં મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, ખાનપર ગામના અને હાલ મોરબી રહેતા અરજદાર પ્રવીણભાઈ કાનજીભાઈ બાર દ્વારા મહેસુલ વિભાગમાં અરજી કરેલ છે અને તેને સાંથણીમાં મળેલ જમીનમાં તળાવ સંપાદન થયેલ છે તો શું આ જમીન અરજદારને પછી મળવાલાયક છે અને જમીનનો તેમની પાસે કબજો પણ હતો નહિ ખાનપર ગામે સાંથણી વાળી જમીનની બે વાર માપણી થઇ ગયેલ છે જેમાં અરજદારની જમીનની માપણી થયેલ છે કે કેમ ? અમારી જાણ મુજબ જમીનની માપણી થયેલ જ નથી કારણકે તેમની પાસે જમીનનો કબજો હતો નહિ જેથી વ્યક્તિને જમીન મળવા પાત્ર નથી

સરકારી ખરાબો હોવાથી ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ અહી વૃક્ષો વાવ્યા હતા અને અરજદારની જમીનનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરાયો નથી હાલમાં ખાનપર ગામે આવેલ વર્ષો જૂની ગોમ્ટેશ્વર મહાદેવ મંદિર જગ્યામાં દબાણ કરેલ હોય તેવી લેન્ડ ગ્રેબિંગ અરજી કરલે છે અને જગ્યામાં આવું કોઈ દબાણ કરાયું નથી વર્ષોથી આ જગ્યા સમસ્ત ગ્રામજનો સાર્વજનિક હેતુ માટે ઉપયોગ કરાય છે આવી ખોટી અરજીઓ કરી ગામની સુલેહ અને શાંતિ ભંગ થાય તેવું છે જેથી કરીને આવી ખોટી અરજીઓ રદ કરવામાં આવે તે જરૂરી છે






Latest News