ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે સુલેહ શાંતિ ભંગ કરવા ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરતાં રજૂઆત કરાઇ


SHARE













મોરબીના ખાનપર ગામે સુલેહ શાંતિ ભંગ કરવા ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરતાં રજૂઆત કરાઇ

મોરબીના ખાનપર ગામે ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરીને ગામની સુલેહ અને શાંતિ ભંગ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે અરજદાર જમીનમાં શરત ભંગ કરાતો હોવા અંગે ગ્રામ પંચાયતે મામલતદારને લેખિત રજૂઆત કરી છે

મોરબીની ખાનપર ગ્રામ પંચાયતના સરપંચ ખંતીલભાઈ ભીમાણીની આગેવાનીમાં મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, ખાનપર ગામના અને હાલ મોરબી રહેતા અરજદાર પ્રવીણભાઈ કાનજીભાઈ બાર દ્વારા મહેસુલ વિભાગમાં અરજી કરેલ છે અને તેને સાંથણીમાં મળેલ જમીનમાં તળાવ સંપાદન થયેલ છે તો શું આ જમીન અરજદારને પછી મળવાલાયક છે અને જમીનનો તેમની પાસે કબજો પણ હતો નહિ ખાનપર ગામે સાંથણી વાળી જમીનની બે વાર માપણી થઇ ગયેલ છે જેમાં અરજદારની જમીનની માપણી થયેલ છે કે કેમ ? અમારી જાણ મુજબ જમીનની માપણી થયેલ જ નથી કારણકે તેમની પાસે જમીનનો કબજો હતો નહિ જેથી વ્યક્તિને જમીન મળવા પાત્ર નથી

સરકારી ખરાબો હોવાથી ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ અહી વૃક્ષો વાવ્યા હતા અને અરજદારની જમીનનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરાયો નથી હાલમાં ખાનપર ગામે આવેલ વર્ષો જૂની ગોમ્ટેશ્વર મહાદેવ મંદિર જગ્યામાં દબાણ કરેલ હોય તેવી લેન્ડ ગ્રેબિંગ અરજી કરલે છે અને જગ્યામાં આવું કોઈ દબાણ કરાયું નથી વર્ષોથી આ જગ્યા સમસ્ત ગ્રામજનો સાર્વજનિક હેતુ માટે ઉપયોગ કરાય છે આવી ખોટી અરજીઓ કરી ગામની સુલેહ અને શાંતિ ભંગ થાય તેવું છે જેથી કરીને આવી ખોટી અરજીઓ રદ કરવામાં આવે તે જરૂરી છે






Latest News