વાંકાનેરમાં ખંભાળામાં પીઆઇ ઉપર હુમલોના ગુનામાં એક સપ્તાહમાં ૩૩ માંથી માત્ર ૧ આરોપી પકડાયો !
SHARE
વાંકાનેરમાં ખંભાળામાં પીઆઇ ઉપર હુમલોના ગુનામાં એક સપ્તાહમાં ૩૩ માંથી માત્ર ૧ આરોપી પકડાયો !
વાંકાનેર તાલુકામાં આવેલા ખંભાળા ગામે પીઆઇ ઉપર અકે સપ્તાહ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો જેની પીઆઇએ ૫ મહિલા સહિત ૩૩ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે રાયોટિંગ, ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા જો કે, આ ગુનામાં એક સપ્તાહ પછી પણ પોલીસે માત્ર એક જ આરોપીને પોલીસ પકડી શકી છે અને બાકીના આરોપીઓને પકડવા માટે હાલમાં પોલીસ હવામાં હવાતિયા મારી રહી છે
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખંભાળા ગામે પવનચક્કી નાંખવાની હોય તે બાબતે ગત તા ૨૩/૧૦ ના રોજ અરજી આવી હતી અને ત્યાં પવનચક્કી નહીં નાંખવા બાબતે સામેના પક્ષ તરફેથી વિવાદ ચાલી રહ્યો હોય અરજીની તપાસમાં પીઆઇ બી.જી.સરવૈયા અને તેનો સ્ટાફ ગયો હતો ત્યારે સામેના પક્ષ દ્વારા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. અને પીઆઇ સહિતનાને માર માર્યો હતો જે બનાવની વાંકાનેરના પીઆઇ બટુકસીહ ગુમાનસીહ સરવૈયા (ઉ.૫૮)એ તા ૨૪/૧૦ ના રોજ રમેશભાઇ હઠાભાઇ, મોના જીવણ, ગોપાલ મોના, મોમ જીવણ, કાના હમીર, તેજા જીવણ, ગુણા મોમ, રામા ઉર્ફે ઉકો તેજા, ગુણા મોના, ધના થોભણભાઇ, માંધા ભારાભાઇ, રમેશ મશરૂભાઈ, મૈયા પાચાભાઈ, છેલા ધારાભાઈ, વરવા પાંચાભાઇ, રાજુ ધારા, ભુપત ભલા, બાબુ ભલા, બાલા કારા, જગા હમીર, છેલા મુળા, પાયા મુળા, રણછોડ મોના, જીતા મોમ, નાનુ થોભણ તથા ત્રણેક અજાણ્યા પુરૂષ અને પાંચેક અજાણી મહિલો રહે. બધા ખાંભાળા આમ કુલ મળીને ૩૩ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાથી એક સપ્તાહ પછી એટલે કે આજ દિવસ સુધીમાં મોરબી જિલ્લાની તમામ મોટી બ્રાંચો અને સ્થાનિક પોલીસ મળીને માત્ર એક જ આરોપી ઝાલાભાઈ માલાભાઈ ગમારાને પકડી શકેલ છે ત્યારે પોલીસ અધિકારી ઉપર હુમલો કરનારા શખ્સો અને મહિલાઓ ભૂગર્ભમાં ઉતારી ગયેલ છે કે પછી પોલીસનું કૂણું વલણ છે તેવા પોલીસની કામગીરી સામે જ સવાલ ઊભો થયા છે