મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા હોવાનુ ખૂલ્યું


SHARE













મોરબીના વાવડી રોડ ઉપરથી ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા હોવાનુ ખૂલ્યું

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ હતી જેથી યુવતીની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી તેવામાં યુવતીએ પોલીસ સ્ટેશને આવીને તેને પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું નિવેદન આપેલ છે જેની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

 

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્ક શેરી નંબર-૨ માં રહેતા ગીતાબેન સુરેશભાઈ ભલસોડ (૪૫) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા તેમની દીકરી ઉષાબેન ગુમ થયેલ હોય ગુમસુધા ફરિયાદ આપી હતી.જેમાં જણાવ્યુ હતું કે, ગત તા.૧૭-૯ ના બપોરના બે વાગ્યાના અરસામાં તેઓની દીકરી ઉષાબેન સુરેશભાઈ ભલસોડ (૨૧) ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ હતી.જેથી ગુમ થયેલ યુવતીની માતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ અંગેની આગળની તપાસ એ.એમ.ઝાપડિયા ચલાવી રહ્યા હતા.તેવામાં યુવતીએ પોલીસ સ્ટેશને આવીને નિવેદન આપ્યું હતું કે, તેણીને છેલ્લા બે વર્ષથી રાજકોટ તાલુકાનાં વિંછિયા ગામના રહેવાસી હિરલભાઈ જયંતિભાઈ સોરઠિયા નામના યુવક સાથે પ્રેમ સબંધ હોય અમરેલીના મૂંજીયાસર ગામે પ્રેમ લગ્ન કરીને તેઓ સુરત ચાલ્યા ગયા હતા.જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

વાંકાનેર મારામારી

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ નજીક ગ્રેસટોન સિરામિક નામના યુનિટમાં રહી મજૂરી કામ કરતા બાલુભાઈ દેવશીભાઈ વર્મા (૨૦) નામના યુવાનને સરતાનપર નજીક આવેલ બાબા રામદેવ હોટલ પાસે અજાણ્યા ઈશમે ધોકા વડે માર મારતા સારવાર માટે અત્રેની સિવિલ લાવવામાં આવ્યો હતો.મારામારીનો બીજો બનાવ રાતાવિરડા ગામે ટોરીનો સિરામિક નામના યુનિટ પાસે બન્યો હતો.જેમાં અશોક કૈલાશભાઈ વર્મા નામના ૨૮ વર્ષના યુવાનને રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં યુનિટ ખાતે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલએ લવાયો હતો.

બાળક સારવારમાં
મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારનો રોહિત દિલીપભાઈ નામનો નવ મહિનાનો બાળક ઘરે રમતો હતો.ત્યારે રમતા રમતા માથાના વાગે ટેબલ લાગી જતા તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબી તાલુકાના જીકીયારી ગામે રહેતા વિજયાબેન ચંદુભાઈ બસાતરીયા નામના ૪૯ વર્ષના મહિલા તેઓના ઘર પાસે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લવાયા હતા અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર દ્વારા તપાસ કરવામાં આવી હતી





Latest News