મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

રાજકોટ જેલમાં ફર્લો ઉપર છૂટેલ ફરાર આરોપી હળવદમાંથી ઝડપાયો


SHARE









રાજકોટ જેલમાં ફર્લો ઉપર છૂટેલ ફરાર આરોપી હળવદમાંથી ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં આરોપી પકડાયેલ હતો અને તેને સજા થયેલ હોવાથી તે રાજકોટ જેલમાં હતો અને અને આ પાકા કામના કેદીએ જેલમાંથી ફર્લો ઉપર છૂટયા બાદ તે જેલમાં હાજર થયેલ ન હતો જેથી ફરાર થયેલા આરોપીને ત્રણ માસ બાદ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે હળવદ ખાતેથી પકડીને રાજકોટ જેલ હવેલ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વર્ષ 2018મા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોકસો, દુષ્કર્મનો ગુનો નોંધાયેલ હતો જે કેસમાં આરોપીને સજા કરવામાં આવી છે જેથી કરીને પાકા કામના કેદી સંજયભાઈ રાધુભાઈ રાણેવાડીયા (24) ને રાજકોટ સેન્ટ્રલ જેલ મૂકવામાં આવેલ હતો કેદીએ તા 28/6/24 થી 13/7/24 સુધી ફર્લો રજા મેળવી હતી અને જેલમાંથી ફર્લો ઉપર છૂટ્યા બાદ આરોપી જેલમાં હાજર થયેલ ન હતો. જેથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપી સંજયભાઈ રાણેવાડીયા હળવદના ભવાનીનગર લાંબી ડેરી ઢોરે હોવાની બાતમી આધારે ત્યાંથી તેને પકડ્યો હતો અને ત્યાર બાદ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે

મારામારીમાં ઇજા
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા ઝાલાભાઇ ચંદુભાઈ રાઠોડ (૪૮) નામના વ્યક્તિને મોડી સાંજના સમયે વિશાલભાઈ રાજુભાઈ નામના વ્યક્તિએ માર મારતા ઈજા પામેલા હાથમાં તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે.






Latest News