મોરબી : લેડીસ કર્મચારીઓને ઓકીસમા સેવા લેવા મુખ્યમંત્રીને રજૂઆત
રાજકોટ જેલમાં ફર્લો ઉપર છૂટેલ ફરાર આરોપી હળવદમાંથી ઝડપાયો
SHARE
રાજકોટ જેલમાં ફર્લો ઉપર છૂટેલ ફરાર આરોપી હળવદમાંથી ઝડપાયો
હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં આરોપી પકડાયેલ હતો અને તેને સજા થયેલ હોવાથી તે રાજકોટ જેલમાં હતો અને અને આ પાકા કામના કેદીએ જેલમાંથી ફર્લો ઉપર છૂટયા બાદ તે જેલમાં હાજર થયેલ ન હતો જેથી ફરાર થયેલા આરોપીને ત્રણ માસ બાદ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે હળવદ ખાતેથી પકડીને રાજકોટ જેલ હવેલ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ વર્ષ 2018મા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોકસો, દુષ્કર્મનો ગુનો નોંધાયેલ હતો જે કેસમાં આરોપીને સજા કરવામાં આવી છે જેથી કરીને પાકા કામના કેદી સંજયભાઈ રાધુભાઈ રાણેવાડીયા (24) ને રાજકોટ સેન્ટ્રલ જેલ મૂકવામાં આવેલ હતો કેદીએ તા 28/6/24 થી 13/7/24 સુધી ફર્લો રજા મેળવી હતી અને જેલમાંથી ફર્લો ઉપર છૂટ્યા બાદ આરોપી જેલમાં હાજર થયેલ ન હતો. જેથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપી સંજયભાઈ રાણેવાડીયા હળવદના ભવાનીનગર લાંબી ડેરી ઢોરે હોવાની બાતમી આધારે ત્યાંથી તેને પકડ્યો હતો અને ત્યાર બાદ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે
મારામારીમાં ઇજા
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા ઝાલાભાઇ ચંદુભાઈ રાઠોડ (૪૮) નામના વ્યક્તિને મોડી સાંજના સમયે વિશાલભાઈ રાજુભાઈ નામના વ્યક્તિએ માર મારતા ઈજા પામેલા હાથમાં તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે.