ભારત સરકારની પેટ્રોલીયમ-ગેસ સમિતિમાં કચ્છના સાંસદનો સમાવેશ કરાયો
SHARE
ભારત સરકારની પેટ્રોલીયમ-ગેસ સમિતિમાં કચ્છના સાંસદનો સમાવેશ કરાયો
૧૮મી લોકસભામાં ભારત સરકારે ૨૪ સંસદીય સમિતિઓની રચના કરી છે. તેમાં પેટ્રોલીયમ અને નેચરલ ગેસમાં કચ્છના લોકસભા સાંસદ વિનોદભાઇ ચાવડાને સમિતિ સભ્ય બનાવાયા છે. લોકનાયક નરેન્દ્રમોદીના ત્રીજા કાર્યકાળમાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૨૪ સંસદીય વિભાગીય સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવેલ છે. પેટ્રોલીયમ અને નેચરલ ગેસ કમિટીમાંથી સુનિલ દતાત્રય તટકરેજીના અધ્યક્ષ સ્થાને સમિતિમાં કચ્છ મોરબી લોકસભા સાંસદ સભ્ય વિનોદભાઇ ચાવડાનો સમાવેશ થયેલ છે. સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, પેટ્રોલીયમ અને નેચરલ ગેસ સમિતિમાં નિર્ધારિત નીતિઓ, માર્ગદર્શી સિધ્ધાંતો અનુસાર સલાહ સુચન અમલીકરણ માટેની સમિતિ છે જેમાં મને સહભાગી થવાથી તક સાંપડી છે તે મારૂ સદભાગ્ય અને કાર્ય કરવાના સંકલ્પને પ્રોત્સાહન પુરૂ પાડયુ છે.