મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના સરકારી જમીન ઉપર થયેલ દબાણની માપણી કરવા ડીએલઆરની ટિમ પહોચી


SHARE







મોરબીના સરકારી જમીન ઉપર થયેલ દબાણની માપણી કરવા ડીએલઆરની ટિમ પહોચી

મોરબીના લીલાપર ગામ નજીક સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હોવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી જેથી કરીને કલેક્ટર દ્વારા ડીએલઆર દ્વારા માપણી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો જેથી કરીને ડીએલઆરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને આગામી ત્રણ દિવસમાં તેનો રિપોર્ટ આવશે ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટની બાજુમાં સરકારી જમીન ઉપર દબાણ થયું હોવા અંગેની મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા સરકારી વિભાગમાં અરજી કરવામાં આવી હતી જેના આધારે તપાસ કરવામાં આવી હતી અને જે તે સમયે મામલતદાર દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે અને હાલમાં મામલતદારમાં દબાણનો કેસ ચાલી રહ્યો છે તેવામાં આ દબાણ ભાજપના આગેવાન અરવિંદભાઇ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે

ગઇકાલે કલેક્ટર કે.બી ઝવેરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સરકારી જમીન ઉપર કોઈપણ પ્રકારનું કોઈનું પણ દબાણ હશે તો તેને તોડી પાડવામાં આવશે અને કોઈની પણ શેહશરમ રાખવામાં આવશે નહીં અને કલેક્ટર દ્વારા સ્થળ ઉપર જઈને ડીએલઆરની માપણી કરવા આદેશ કરવામાં આવેલ હતો જેથી કરીને ડીએલઆરની ટીમ ત્યાં સ્થળ ઉપર માપણી કરવા માટે પહોંચી હતી અને ખરેખર સરકારી જમીન ઉપર કેટલું દબાણ છે તેના માટે ડીએલઆરની ટીમ દ્વારા માપણી કરવામાં આવી હતી અને આગામી ત્રણ-ચાર દિવસની અંદર તેમનો રિપોર્ટ તૈયાર થશે તેવું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.






Latest News