મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના સરકારી જમીન ઉપર થયેલ દબાણની માપણી કરવા ડીએલઆરની ટિમ પહોચી


SHARE













મોરબીના સરકારી જમીન ઉપર થયેલ દબાણની માપણી કરવા ડીએલઆરની ટિમ પહોચી

મોરબીના લીલાપર ગામ નજીક સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હોવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી જેથી કરીને કલેક્ટર દ્વારા ડીએલઆર દ્વારા માપણી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો જેથી કરીને ડીએલઆરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને આગામી ત્રણ દિવસમાં તેનો રિપોર્ટ આવશે ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટની બાજુમાં સરકારી જમીન ઉપર દબાણ થયું હોવા અંગેની મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા સરકારી વિભાગમાં અરજી કરવામાં આવી હતી જેના આધારે તપાસ કરવામાં આવી હતી અને જે તે સમયે મામલતદાર દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે અને હાલમાં મામલતદારમાં દબાણનો કેસ ચાલી રહ્યો છે તેવામાં આ દબાણ ભાજપના આગેવાન અરવિંદભાઇ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે

ગઇકાલે કલેક્ટર કે.બી ઝવેરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સરકારી જમીન ઉપર કોઈપણ પ્રકારનું કોઈનું પણ દબાણ હશે તો તેને તોડી પાડવામાં આવશે અને કોઈની પણ શેહશરમ રાખવામાં આવશે નહીં અને કલેક્ટર દ્વારા સ્થળ ઉપર જઈને ડીએલઆરની માપણી કરવા આદેશ કરવામાં આવેલ હતો જેથી કરીને ડીએલઆરની ટીમ ત્યાં સ્થળ ઉપર માપણી કરવા માટે પહોંચી હતી અને ખરેખર સરકારી જમીન ઉપર કેટલું દબાણ છે તેના માટે ડીએલઆરની ટીમ દ્વારા માપણી કરવામાં આવી હતી અને આગામી ત્રણ-ચાર દિવસની અંદર તેમનો રિપોર્ટ તૈયાર થશે તેવું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.








Latest News