મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ધાંધીયા યથાવત: મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન


SHARE













ધાંધીયા યથાવત: મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશનથી પસાર થતી ડેમુ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તે ટ્રેન બંધ થઈ ગયેલ હતી જેથી કરીને મુસાફરો વચ્ચે રજડી પડ્યા હતા અને વારંવાર ડેમુ ટ્રેન બંધ થઈ જાય છે જેથી કરીને મોરબી અને વાંકાનેર વચ્ચે આવજા કરતાં મુસાફરો સહિતના લોકોને હેરાન થવું પડે છે

મોરબી અને વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન દોડાવવામાં આવતી હોય છે અને તે ડેમુ ટ્રેન મારફતે મોરબી થી વાંકાનેર અને વાંકાનેર થી મોરબી સુધી મુસાફરો આવતા જતા હોય છે અને ઘણા લોકોને વાંકાનેર રેલવે સ્ટેશનથી લાંબા અંતરની ટ્રેન પકડવી હોય તો તે ડેમુનો ઉપયોગ કરીને વાંકાનેર  રેલવે સ્ટેશન ખાતે પહોંચતા હોય છે જોકે ડેમુ ટ્રેન અવારનવાર ધાંધીયા કરતી હોવાના કારણે મુસાફરો અગાઉ અનેક વખત હેરાન થયા છે તેવી જ રીતે આજે સવારે આઠ વાગ્યે વાંકાનેરથી મોરબી આવી રહેલ ડેમુ ટ્રેન નજરબાગ સ્ટેશને બંધ થઈ ગયેલ હતી જેથી કરીને મોરબીથી વાંકાનેર બાજુ જવા માટેની ડેમુ ટ્રેનને રદ્દ કરવામાં આવી હતી જેથી કરીને મોરબીથી ડેમુ ટ્રેન મારફતે વાંકાનેર તરફ જનારા મુસાફરોને ભાગાભાગી થઈ ગયેલ હતી કેમ કે, વાંકાનેરથી ઘણા મુસાફરોને લાંબા અંતરની ટ્રેન પકડીને આગળ જવાનું હોય છે અત્રે ઉલેખનીય છે કે, ડેમુ ટ્રેન વારંવાર બંધ થવાના ધાંધીયાને લીધે રેલવેના મુસાફરો ઘટશે તેવુ કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.








Latest News