મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હત્યાના પ્રયાસના બનાવમાં પકડાયેલા ત્રણેય આરોપીના જામીન મંજૂર


SHARE













માળીયા (મી)ના હત્યાના પ્રયાસના બનાવમાં પકડાયેલા ત્રણેય આરોપીના જામીન મંજૂર

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાની કોશિશના ગુનામાં ત્રણ આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા તે આરોપીના રેગ્યુલર જામીન માટે મોરબીની સેસન્શ કોર્ટમાં વકીલ મારફતે અરજી કરવામાં હતી જેમાં ત્રણેય આરોપીના કોર્ટે શરતી જામીન મંજૂર કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ માળીયા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પકાયેલા આરોપીના રસુલ વલીમામદ ઉર્ફે બચુ માણેક, હાસમ વલીમામદ ઉર્ફે બચુ માણેક અને આવેશ વલીમામદ ઉર્ફે બચુ માણેક રહે. બધા અંજીયાસર વાળાને પોલીસે કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ હતા ત્યાર બાદ તે આરોપીના વકીલ મોરબીના સિનિયર ધારાશસ્ત્રી મનીષ ઓઝા (ગોપાલ ઓઝા) તેમજ મેનાઝ પરમાર દ્વારા સેસન્સ કોર્ટ મારફત આરોપીઓના રેગ્યુલર જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ મનીષ ઓઝા દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલ તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને મોરબી સેસન્સ કોર્ટના જજ કે.આર.પંડ્યા સાહેબ દ્વારા તમામ આરોપીઓના રૂપિયા 15 હજારના શરતી જામીન મંજૂર કરેલ છે








Latest News