ધાંધીયા યથાવત: મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન
માળીયા (મી)ના હત્યાના પ્રયાસના બનાવમાં પકડાયેલા ત્રણેય આરોપીના જામીન મંજૂર
SHARE
માળીયા (મી)ના હત્યાના પ્રયાસના બનાવમાં પકડાયેલા ત્રણેય આરોપીના જામીન મંજૂર
માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાની કોશિશના ગુનામાં ત્રણ આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા તે આરોપીના રેગ્યુલર જામીન માટે મોરબીની સેસન્શ કોર્ટમાં વકીલ મારફતે અરજી કરવામાં હતી જેમાં ત્રણેય આરોપીના કોર્ટે શરતી જામીન મંજૂર કરેલ છે.
આ કેસની વકીલ પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ માળીયા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પકાયેલા આરોપીના રસુલ વલીમામદ ઉર્ફે બચુ માણેક, હાસમ વલીમામદ ઉર્ફે બચુ માણેક અને આવેશ વલીમામદ ઉર્ફે બચુ માણેક રહે. બધા અંજીયાસર વાળાને પોલીસે કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ હતા ત્યાર બાદ તે આરોપીના વકીલ મોરબીના સિનિયર ધારાશસ્ત્રી મનીષ ઓઝા (ગોપાલ ઓઝા) તેમજ મેનાઝ પરમાર દ્વારા સેસન્સ કોર્ટ મારફત આરોપીઓના રેગ્યુલર જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ મનીષ ઓઝા દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલ તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને મોરબી સેસન્સ કોર્ટના જજ કે.આર.પંડ્યા સાહેબ દ્વારા તમામ આરોપીઓના રૂપિયા 15 હજારના શરતી જામીન મંજૂર કરેલ છે