મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હત્યાના પ્રયાસના બનાવમાં પકડાયેલા ત્રણેય આરોપીના જામીન મંજૂર


SHARE







માળીયા (મી)ના હત્યાના પ્રયાસના બનાવમાં પકડાયેલા ત્રણેય આરોપીના જામીન મંજૂર

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાની કોશિશના ગુનામાં ત્રણ આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા તે આરોપીના રેગ્યુલર જામીન માટે મોરબીની સેસન્શ કોર્ટમાં વકીલ મારફતે અરજી કરવામાં હતી જેમાં ત્રણેય આરોપીના કોર્ટે શરતી જામીન મંજૂર કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ માળીયા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પકાયેલા આરોપીના રસુલ વલીમામદ ઉર્ફે બચુ માણેક, હાસમ વલીમામદ ઉર્ફે બચુ માણેક અને આવેશ વલીમામદ ઉર્ફે બચુ માણેક રહે. બધા અંજીયાસર વાળાને પોલીસે કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ હતા ત્યાર બાદ તે આરોપીના વકીલ મોરબીના સિનિયર ધારાશસ્ત્રી મનીષ ઓઝા (ગોપાલ ઓઝા) તેમજ મેનાઝ પરમાર દ્વારા સેસન્સ કોર્ટ મારફત આરોપીઓના રેગ્યુલર જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ મનીષ ઓઝા દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલ તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને મોરબી સેસન્સ કોર્ટના જજ કે.આર.પંડ્યા સાહેબ દ્વારા તમામ આરોપીઓના રૂપિયા 15 હજારના શરતી જામીન મંજૂર કરેલ છે






Latest News