મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી-અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી-અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષે આહીર જ્ઞાતિના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે  છે તેવી જ રીતે આ વર્ષે 15 માં વર્ષે મોરબીના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો આ તકે વવાણીયા સ્થિત માતૃશ્રી રામબાઈમાની જગ્યાના મહંત પ્રભુદાસજી મહારાજ, રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરીબેન, તે ઉપરાંત મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી અમુભાઈ હુંબલ, જામનગર શહેર ભાજપ કિશન મોરચાના પ્રભારી ચંદુભાઈ હુંબલ, ઉગાભાઈ રાઠોડ, જીવણભાઈ કુંભારવાડીયા, મોરબી નગરપાલિકાના માજી પ્રમુખ દેવાભાઇ અવાડિયા, જયશ્રીબેન એન. જરૂ, આઇ.એસ. આહીર, નિર્મલભાઈ ગોગરા, ધર્મેન્દ્રભાઈ આહીર, લાખાભાઈ લાવડીયા, વિક્રમભાઈ ખુંગલા, કલ્પનાબેન જરૂ, પીઠાભાઈ ડાંગર, કિરણબેન રાઠોડ, સીતાબેન લાવડીયા, નસંગભાઈ હુંબલ અને જીગ્નેશભાઈ ડાંગર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે આહીર સમાજના 200 વિદ્યાર્થીઓનું સમાજના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અને 80 જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવ્યા હતા તેમજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીમાં ક્લાસ 1 અને 2 માં ફરજ બજાવતા આહીર સમાજના સરકારી અધિકારીઓનું અને સરકારી નોકરીમાંથી નિવૃત્ત કર્મચારીઓનું પણ સમાજના આગેવાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તેવી માહિતી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ પાસેથી જાણવા મળી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તેમજ મહામંત્રી મયુરભાઈ ગજીયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News