મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી-અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી-અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષે આહીર જ્ઞાતિના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે  છે તેવી જ રીતે આ વર્ષે 15 માં વર્ષે મોરબીના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો આ તકે વવાણીયા સ્થિત માતૃશ્રી રામબાઈમાની જગ્યાના મહંત પ્રભુદાસજી મહારાજ, રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરીબેન, તે ઉપરાંત મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી અમુભાઈ હુંબલ, જામનગર શહેર ભાજપ કિશન મોરચાના પ્રભારી ચંદુભાઈ હુંબલ, ઉગાભાઈ રાઠોડ, જીવણભાઈ કુંભારવાડીયા, મોરબી નગરપાલિકાના માજી પ્રમુખ દેવાભાઇ અવાડિયા, જયશ્રીબેન એન. જરૂ, આઇ.એસ. આહીર, નિર્મલભાઈ ગોગરા, ધર્મેન્દ્રભાઈ આહીર, લાખાભાઈ લાવડીયા, વિક્રમભાઈ ખુંગલા, કલ્પનાબેન જરૂ, પીઠાભાઈ ડાંગર, કિરણબેન રાઠોડ, સીતાબેન લાવડીયા, નસંગભાઈ હુંબલ અને જીગ્નેશભાઈ ડાંગર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે આહીર સમાજના 200 વિદ્યાર્થીઓનું સમાજના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અને 80 જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવ્યા હતા તેમજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીમાં ક્લાસ 1 અને 2 માં ફરજ બજાવતા આહીર સમાજના સરકારી અધિકારીઓનું અને સરકારી નોકરીમાંથી નિવૃત્ત કર્મચારીઓનું પણ સમાજના આગેવાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તેવી માહિતી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ પાસેથી જાણવા મળી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તેમજ મહામંત્રી મયુરભાઈ ગજીયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News