મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં મૃતકના પરિવારને ૫.૧૦ લાખનો વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE









મોરબીમાં મૃતકના પરિવારને ૫.૧૦ લાખનો વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબી તાલુકાનાં બીલીયા ગામના વતની વૈશાલીબેન રાજીવભાઈ સાણંદીયાને બેંકે વીમો ચુકવવાની ના પડી હતી અને જેથી તેમણે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો અને તેમના મારફતે ગ્રાહક તકરાર નિવારણ કોર્ટમાં ગયા હતા જેમાં કોર્ટે વૈશાલીબેનને રૂપિયા ૫.૧૦ લાખ તા. ૮/૬/૨૩ થી ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.

જાણવા મળતી માહિતી મુજબ વૈશાલીબેનના પતિ રાજીવભાઈએ એક્સીસ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. અને બેંકે ગ્રાહકને પ્રલોભન આપ્યું હતું કે, અમારી બેંકમાં ખાતું ખોલાવશો તો તેની સાથે એટીએમ કાર્ડ ફ્રી કોસ્ટમાં મળશે. સાથે જ પર્સનલ એક્સીડન્ટ વીમો ૫ લાખનો મળશે. જેથી ત્યાં ખાતું ખોલવ્યું હતું અને તા. ૧૮/૩/૨૨ ના રોજ વૈશાલીબેનના પતિ સાઇકલ લઈને જતા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માત થયો હતો અને તેમનું મોત નીપજયું હતું જો કે, વૈશાલીબેને વીમા માટે બેંકને તમામ કાગળો રજુ કર્યા હતા પરંતુ બેંકે કોઈ જવાબ આપ્યો ન હતો અને ત્યારબાદ તેઓએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેમાં કોર્ટે એક્સીસ બેંકને વૈશાલીબેન સાણંદીયાને ૫ લાખનો વીમો તેમજ ૧૦ હજાર રૂપિયા માનસિક ત્રાસ માટે અને તા. ૮/૬/૨૩ થી ૯ ટકા વ્યાજ સાથે રકમ આપવા આદેશ કર્યો છે.






Latest News