ટંકારા તાલુકા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળકોએ 30 કૃતિઓ રજૂ કરી
મોરબીમાં મૃતકના પરિવારને ૫.૧૦ લાખનો વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
SHARE
મોરબીમાં મૃતકના પરિવારને ૫.૧૦ લાખનો વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
મોરબી તાલુકાનાં બીલીયા ગામના વતની વૈશાલીબેન રાજીવભાઈ સાણંદીયાને બેંકે વીમો ચુકવવાની ના પડી હતી અને જેથી તેમણે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો અને તેમના મારફતે ગ્રાહક તકરાર નિવારણ કોર્ટમાં ગયા હતા જેમાં કોર્ટે વૈશાલીબેનને રૂપિયા ૫.૧૦ લાખ તા. ૮/૬/૨૩ થી ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.
જાણવા મળતી માહિતી મુજબ વૈશાલીબેનના પતિ રાજીવભાઈએ એક્સીસ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. અને બેંકે ગ્રાહકને પ્રલોભન આપ્યું હતું કે, અમારી બેંકમાં ખાતું ખોલાવશો તો તેની સાથે એટીએમ કાર્ડ ફ્રી કોસ્ટમાં મળશે. સાથે જ પર્સનલ એક્સીડન્ટ વીમો ૫ લાખનો મળશે. જેથી ત્યાં ખાતું ખોલવ્યું હતું અને તા. ૧૮/૩/૨૨ ના રોજ વૈશાલીબેનના પતિ સાઇકલ લઈને જતા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માત થયો હતો અને તેમનું મોત નીપજયું હતું જો કે, વૈશાલીબેને વીમા માટે બેંકને તમામ કાગળો રજુ કર્યા હતા પરંતુ બેંકે કોઈ જવાબ આપ્યો ન હતો અને ત્યારબાદ તેઓએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેમાં કોર્ટે એક્સીસ બેંકને વૈશાલીબેન સાણંદીયાને ૫ લાખનો વીમો તેમજ ૧૦ હજાર રૂપિયા માનસિક ત્રાસ માટે અને તા. ૮/૬/૨૩ થી ૯ ટકા વ્યાજ સાથે રકમ આપવા આદેશ કર્યો છે.